________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬ બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સુભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વા પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ વહ્યા કરે એ ઉપગ ધારણ કર. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં સ્થિર થઈને શુકલ ધ્યાન ધ્યાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માના એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ એગશાસ્ત્ર-તત્વાર્થસૂત્ર-દશવૈકાલિકચૂણિ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે. તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તમાં સુભાવના રાખી શકાય છે અને ઉપયેગથી પ્રવત્તિ શકાય છે. આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હૃદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહ્યથી સાંસારિક અનેક કર્તવ્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમાં તેઓ ઉપગપૂર્વક પ્રવર્તતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર, સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સીમંધર સ્વામીએ બે દેવતાઓ આગલ શ્રી આદ્રકુમારની પ્રશંસા કરી અને તેની પાસે બોધ પામશે એમ દેવતાઓને કચ્યું. દેવતાઓ શ્રીઆદ્રકુમારની પાસે આવ્યા, આદ્રકુમારને ગૃહસ્થાવસ્થામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થએલ દેખીને તેઓ પરમ પ્રસન્ન થયા અને આદ્રકુમારને સાધુને વેષ સમ
ર્યો અને તેમના બેધથી સમ્યકત્વ પામ્યા. આ ઉપરથી અવધવાનું કે સુભાવથી પ્રત્યેક સ્વાધિકારગ્ય કાર્ય કરતાં છતાં પણ આદ્રકુમારની પેઠે કેવલજ્ઞાન થાય છે તે અન્યનું શું કહેવું? અભાવથી ધર્ય ધારણ કરીને પ્રત્યેક કાર્ય કરતાં હતાં અન્તમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ થયા તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી
For Private And Personal Use Only