SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir you શકીએ. સુભાવથી પૈર્ય ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરૂ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. મેરૂપર્વત જેમ કેઈથી કંપાળે કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં મન, વચન અને કાયાના રોગથી અચલાયમાન રહેવું જોઈએ. મન, વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશેષ સ્વૈર્ય ધારણ કરવું જોઈએ. વિદ્યાધ્યયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન, વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અસ્થિર મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અરિથર હોવાથી તેઓ પરાજ્યને પામી શકે છે. મેરૂપર્વતની પેઠે ર્ય ધારણ કરીને કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્ય રણમાં શત્રુસૈિન્ય સામા સ્થિર થઈ ઉભેલા રાજપુત વીરેના સૈન્યવત્ ભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગોઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે. એમ રાજપુતેને ઇતિહાસ કથે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મોટી શોધ કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તે સ્વકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગોમાં સ્થિર ન રહ્યા હોત તે મહા શેધ-ખોળે ન કરી શક્યા હતા. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ ક્રાઈસ્ટને ફાંસીએ ચઢાવ્યું તો પણ ઈશુ કાઈટ પિતાના વિચાજેમાં સ્થિર રહ્યા તેથી તેના મૃત્યુથી તેના વિચારેને સત્ય માનનારાએ આ વિશ્વમાં ચાલીશકરેડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેરવત્ સ્વૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ ન્હાના બાળકોને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્ત ભક્તિધર્મ માનનારી મિરાબાઈને ભક્તિપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણા તરફથી ઓછું સહન કરવું પડ્યું હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરને પ્યાલે પીવાને સમય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy