________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
થી
રાજ્ય મેળવવામાં આત્મભાગ આપી શક્યા હતા. આત્મશ્રદ્ધાયુક્ત ચૈતન્યવાદીઓએ જે જે કર્તવ્યકાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કયા નથી અને કરી શકવાના નથી તેથી તેએ કંઈ શુભકાર્યની યાદી મુકી શક્યા નથી અને આત્મા પોતે પરમાત્મા છે તે ધારે છે તે અતએવ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એવે નિશ્ચય કરીને કર્તશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભાગ આપવામાં પશ્ચાત્ પડતા નથી. કર્તવ્યશ્રદ્ધાલુ અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ મમતામાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પેાતાની ઉચ્ચતા શુદ્ધતા સમજવામાટે શક્તિમાન થાય છે. પૂર્ણશ્રદ્ધાથી જે જે કાર્યાં કરવામાં આવે છે તે તે કાર્યાં પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતઃએવ પૂર્ણશ્નઢાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરૂ પાસે બે વિદ્યાઅધ્યયન કરતા હતા. એક દિવસે ગુરૂના મનમાં એવો વિચાર આબ્યો કે એ શિષ્યોને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરૂએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહૂર્તે બન્ને શિષ્યાને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિએ પૂર્ણશ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિએ માખીના ચૂર્ણ જેવું જાણી તેનું શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણશ્રદ્ધાથી બ્રાહ્મીભ્રૂણનું ભક્ષણ કર્યુ તે વિદ્વાન થયા અને જેણે શંકા ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યુ તે મૂર્ખ રહ્યો. એ દૃષ્ટાન્તપરથી અવબોધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણશ્રદ્ધાથી પાતાના જેટલો વિજય થાય છે તેટલો અન્ય કશાથી થતા નથી. કર્તવ્યકાર્યનું સ્વપરને વ્યષ્ટિ અને સમષ્ટિને ફલ, પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવમેધીને અને પૂર્ણશ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્યકાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતા નથી. આવશ્યક કર્તવ્યકાĪને પરિપૂર્ણશ્રદ્ધાથી કરવાં જોઇએ. કર્મયોગીઓ-જ્ઞાનયોગીઓ-હડયેાગીએ-ભક્તિયોગીએ અને સેવાયાગીઓ પ્રત્યેક કતૅવ્યકાર્યમાં કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેએ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર અને છે. શ્રદ્ધાખલયોગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય
For Private And Personal Use Only
ઇતિહાસના પટ્ટપર મૂકી શકનાર નથી. કાર્ય કરી શકે છે.