SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ છે અને સુવર્ણ તાપની પેઠે પરિષહ ઉપસર્ગીકૃત દુઃખ તાપથી ગળી જવા જે પ્રસંગ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાં આત્માની સમભાવ, પૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિને ખીલવીને દુઃખના સામું સ્થિર રહેવું પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસર્ગો સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિ વેઠી હતી. અનાર્યદેશવજ ભૂમિમાં, ચેર, હૈરિક વગેરે અનેક દુષ્ટ શબ્દોથી અનાર્ય છે કે તેમને સતાવતા હતા, કેટલાક તેમના સામા પત્થરા ફેંકતા હતા અને કેટલાક ગાળો દેતા હતા, કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અનાર્યો તરફથી જે જે ઉપદ્રવે થયા તે તેમણે સહન કર્યા અને આર્ય દેશમાં પણ અનેક ઉપસર્ગોને તેમણે સહન કર્યા અને અન્ત શ્રીવીરપ્રભુએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવધવું કે ધાર્મિક સત્રવૃત્તિ કરતાં મુંઝામણ અને નાસીપાસ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે, પરંતુ તેમાં ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યા કરે છે તે અન્ત સલ્લાભને દેખે છે; અર્થાત્ લક્ષણવડે કહેવાનું કે તે સલાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણા પ્રતાપસિંહે ડુંગરે ડુંગરે પરિભ્રમણ કર્યું તેની રાણી અને તેનાં છોકરાને ખાવાના સાંસા પડવા લાગ્યા; વૃક્ષની છાલો અને વગડાઉ ધાન્યના જેટલા ખાવાને પ્રસંગ આવ્યે; તેના ઘણા સાથીઓ તેને છોડીને ચાલ્યા ગયા. દરાજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદિવસ ભટકી ભટકીને થાકી જવાને સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ બિલાડી રેટ લેઈ ગઈ અને તેથી પુત્રીનું કરૂણયુક્ત રૂદન શ્રવણ કર્યું. રાણીએ વિપત્તિની કહાણું કહીને તેને ઘણું સમજાવ્યે, છતાં પ્રતાપરાણાએ પિતાની ટેક ન છેડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ; તેથી અને ભામાશા જૈનની કરે રૂપિયાની મદત મળી, તેના બળે તેણે પુનઃ સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમાં અમર થયે. પપકારાદિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝાવાને પ્રસંગ આવે તે તે સમયે ધર્માત્માઓના ચરિતનું મરણ કરવું તથા આત્માના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરી શાતાશાતા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy