________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૯ કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની હારે;
અરે જે લીધું માથે તે કરતાં જ્યને વરેરે–અરે જે-૭ કાર્ય ગ્રહ્યું છે ત્યર્યું ન જેણે, કીધું નામ અમર તે એણે;
શુભંકર કાર્યપ્રવૃત્તિ કરતાં દુઃખડાં સહ –અરે જે-૮ પરાક્રમી પરૂષ જગ જીબે, ભારત ક્ષાત્ર કુળે એ દીવે;
સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરે–અરે જે-૯ કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે;
પ્રયત્ન પુરૂં કરતો શૂરવીર જે આદરે–અરે જે-૧૦ મુંઝાયાથી માન ન થાતું, હાય માન છે પણ તે જાતું;
અરે જે મુંઝે તે જન દુઃખથકી ના ઉગરેરે–અરે જે-૧૧ કાર્ય કરતાં મુંજ !!! ન ભાઈ, થાશે અન્ત અન્ય સહાઈ
વધાઈ સત્કાર્યોની થાશે જગજશ વિસ્તરે–અરે જે-૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે બલિહારી,
ભાવે બુદ્ધિસાગર ભવપાધિ ઝટ તરેરે–અરે જે-૧૩ ઈંગ્લાંડમાં સતત ઉઘોગી શાપે સપ્રવૃત્તિમાં જરા માત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સમર્સટ નામના ગુલામને ગુલામણાથી મુક્ત કર્યા. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્ય થયા, પણ તે સતતઉદ્યોગ અને અમુંઝવણથી જય પામ્યો. પ્રથમ કર્તવ્યકાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં અમુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાયે લેવા જોઈએ. પિતાની જાતને દરરોજ મુંઝવણ ન થાય એવા ઉપાયથી કેળવવી જોઈએ. કર્તવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્યપ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને દેશવટે દેવે જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાયેલા મનુષ્યની બુદ્ધિપર આવરણે આવી જાય છે અને તેથી તે કર્તવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી દેખી શકતું નથી. સત્યવૃત્તિમાં મુંઝાયલે મનુષ્ય પોતાની પાછળ હજારે મનુષ્ય સાહાટ્ય કરવાને તત્પર થાય છે વા થએલા હોય છે તેને તે દેખી શકતે. નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાશે કરવાના હોય છે તે સુજી આવે છે. ગુર્જરભૂમિપતિ વનરાજ ચાવડે
For Private And Personal Use Only