________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
સર્વસંધાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અનુકુલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તેજ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજાનુસારે સુધારે વધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે, તદ્વત ધર્મ સામ્રાજ્યમાં પણ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રી પાર્શ્વનાથના શિષ્ય શ્રીકેશીગણધર બને ભેગા થયા ત્યારે ચાર મહાવ્રત અને પંચમહાવ્રત સંબંધી ધર્મવાદ શરૂ થયે તેનું સમાધાન વર્તમાનકાલીન વક જડ જેની દશાપર પંચમહાવ્રત પાલન તરીકે કરવામાં આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ વર્તમાનકાલ અને વર્તમાનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી, અર્થાત્ સમાચાર રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન્ન પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતાં સત્ય અવધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત અલ્પદોષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદષ્ટિ ટળવાથી વિચારે અને આચારમાં સમ્યફ સુધારે થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરા માત્ર આંચકે ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને ભમાવવા પ્રયત્ન કરે છે તે તેથી તેઓ ભરમાઈ જતા નથી તેમજ નિર્લેપ વ્યવહાર ધર્મપ્રવૃત્તિને સેવી ઉચ્ચ દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવતિસર્વજીને મટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તે તેઓને તરતમ ભેદ વિચારે અને રવાધિકારે આવશ્યક ઉપગી અને અલ્પદોષ તથા મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેય: કરવું. દ્રવ્યાનુ
ગજ્ઞાનાભ્યાસનો રંગ લાગતાં આધાકમ આહાર લેતાં અલપદેષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવે છે. શ્રીમઉપાધ્યાયે
For Private And Personal Use Only