SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર કરવું જોઈએ. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માર્ગે સ્વયેગ્ય શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માર્ગે શુભધર્મપ્રવૃત્તિ કઈ છે તેને પરિપૂર્ણ નિર્ણય કરે જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધર્મમાર્ગપ્રવૃત્તિ કરવાની હોય છે તે સમયે જે ઐત્સગિકી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિકા ગણાતી નથી, તેમજ જે સમયે ઉત્સર્ગમાર્ગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીને અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિકી ધર્મપ્રવૃત્તિ આદરવામાં આવે છે તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિકા બોધાતી નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મપ્રવૃત્તિને નિશ્ચય કરીને જે મનુષ્ય ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓ સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાર્ગની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી એમ સર્વત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ બને છે. જે પ્રવૃત્તિ વસ્તુતઃ સ્વાધિકારે નતિકારિકા છે તે શુભ અવધવી. પરંતુ જે સ્વાધિકારે ન્નતિ ન કરનારી હોય તે જગષ્ટિએ વા શુભદષ્ટિએ શુભ હોય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિને ઉપયોગ ન હોવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અવધવી. ધર્મમાર્ગપ્રવૃત્તિનું દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવે તેના મૂલેશે કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ધર્મમાર્ગ પ્રવૃત્તિનું સ્વરૂપ અવધવાની આવ શ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. આવશ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રતિદિન નિયમસર આચરીને આત્માની ઉત્કાતિ કરવી જોઈએ કે જેથી સંસારમાં સ્વપ્રગતિ સ્વાસ્તિત્વ સંરક્ષક બીજકેનું સદા ચિરસ્થાયિત્વ રહે. કઈ કઈ ધર્મમાર્ગ પ્રવૃત્તિની સ્વમાટે આવશ્યક્તા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને સુધારે વધારે કરે છે જેથી ન્નતિમાં ન્યૂનતા રહે નહીં. નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશક્તિને ખીલવવી જોઈએ. ધર્મમાર્ગપ્રવૃત્તિજેમાં પ્રવૃત્ત થતાં કેટિ ગમે તે વિને નડે તે તેઓના સામું થઈ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy