SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૧ ગુણે પ્રાપ્ત કરવાને પ્રભુની ભક્તિ પૂજા વગેરે કરણે કરવી તે ધર્મપ્રવૃત્તિ છે; કારણ કે તેવી ધર્મમાર્ગપ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિથી પિતાનું અને વિશ્વનું શ્રેયઃ સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૈકિક ધર્મમાર્ગપ્રવૃત્તિના અનેક ભેદે છે અને લોકેત્તર ધર્મમાર્ગપ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રતા અને વર્યાદિભેદ અનેક ભેદ પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગપ્રવૃત્તિ અને સાધુ ધર્મમાર્ગપ્રવૃત્તિ એ બે ભેદ સર્વ ભેદમાં મુખ્ય છે. બાહ્યધર્મપ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મપ્રવૃત્તિ જાણવી. મન, વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્ય ધર્મપ્રવૃતિ એમ બે પ્રકારની ધર્મમાર્ગપ્રવૃત્તિ અવબોધવી. નિમિત્ત કારણ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવબોધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મમાર્ગપ્રવૃત્તિ અવધવી. એકેક ધર્મ પ્રવૃત્તિના અનેક ભેદ પડે છે. નિરપેક્ષધર્મ પ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વનની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિને વ્યવહાર સત્ય છે. घचन निरपेक्ष व्यवहार जूठो कहो, वचन सापेक्ष व्यवहार साचो. घचन निरपेक्ष व्यवहार संसार फल, सांभली आदरी कांइ राचो॥ શુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મમાર્ગ પ્રવૃત્તિ, ઈત્યાદિ ધર્મમાર્ગ પ્રવૃત્તિના અનેક ભેદ છે. જ્યારે સર્વનની સાપેક્ષતાએ અવધવામાં આવે છે ત્યારે ન્નતિકારિકધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય એવી શકે છે. જ્યાં સુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં નથી આવતું તાવત્ ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં તેના અધિકારીઓના અજ્ઞાનતઃ અનેક પ્રકારની ભૂલે દે થાય છે. અતવ શુભ અને નૈતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપયુક્ત ધર્મપ્રવૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્ય ખાસ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી ધર્મમાર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વહી શકાય. આગામેથી અને સાધુપુરૂદ્વારા સ્વ ગ્ય શુભપ્રવૃત્તિ કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવે જોઈએ અને તે નૈતિકારિક ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy