SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ પશ્ચાત્ આગળ વધે એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં કર્તાક્તાની પ્રવૃત્તિ છતાં તેમાં વૃત્તિ ન રાખવી એજ નિર્લેપીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશુભત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના વ્યવહારને કરે એ સ્વફરજ છે પરંતુ તેમાં શુભાશુભ રાગદ્વેષ પરિણામે પાવું એ કે ઈ પણ રીતે એગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિર્લેપવ્યવહારને આચરી શકાય છે. સેવાધર્મના પ્રત્યેક માર્ગમાં કઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એ જ્યારે દૃઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય છે ત્યારે નિર્લેપ વ્યવહારમાં અંશે અંશે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નિર્લેપ વ્યવહારમાં શનૈઃ શનૈઃ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિર્લેપ રાખવું એટલે નિર્લેપપ્રવૃત્તિ સેવી એમ અવધવું. આર્યાવર્તમાં નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાંતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તત્ત્વવેદિવિશ્વધર્મપ્રવર્તકે વર્તે છે. ધર્મ પ્રવર્તકેએ આ બાબત ધ્યાનમાં લેઈ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ. ધર્મમાર્ગની પ્રવૃત્તિ કરવી પણ કેવા પ્રકારની કરવી તેના ઉત્તરમાં ધર્માચાર્ય જણાવે છે કે ન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં ન્નતિ નથી થતી તે ધર્મપ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમાં જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી ન્નતિ થાય છે તેને અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદરે છે. જે ધર્મપ્રવૃત્તિથી સ્વાન્નતિ અને વિન્નતિ આ વિશ્વમાં થઈ શકતી નથી અને દાસત્વ પરતત્રત્વ વગેરે દુખમાંથી મુક્ત થઈ શકાતું નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મપ્રવૃત્તિ વા વિશ્વકીય ધર્મપ્રવૃત્તિ તરીકે વિશ્વ મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટેકી શહેરમાં એક વખત સર્વ ધર્મની પરિષદુ મળી હતી તેમાં અનેક ધર્મના આગે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy