SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૭ કૃપા વિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્ત્વજ્ઞાનિ ધર્મ કાર્ય વડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લિપ વ્યવહાર સંરક્ષવા અને ધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાંથી સ્વાત્માને ભિન્ન જાણું સ્વકર્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતાં નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મપ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય તું નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. યાવત્ કાયા તાવતુ જીવનાદિ હેતુભૂતવ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવ પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાંસારિકકર્મ સંબંધેથી તું ત્યારે થવાનો અને મુક્ત રહેવાને. હે મનુષ્ય ! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્યકાર્યોથી ભ્રષ્ટ થઇને વનમાં જઈશ, તે પણ જ્યાં સુધી તે કામ, મેહ, અને મસરાદિ સંસ્કારને હઠાવ્યા નથી ત્યાં સુધી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યાંને ત્યાં તું છે. ફક્ત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાને નથી. નિર્લેપ વ્યવવાર ન સાધી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તે પણ અન્ય વ્યવહાર તે કરે પડશે અને તે કર્યા વિના છૂટકે થવાનું નથી તે તું સ્વાધિકાર જે વ્યવહારમાં વર્તત હોય તેમાં નિર્લેપતા રહે એ માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાત્ તે સર્ષના વ્યવહારમાં નિવિષતા રહી શકે છે તદ્દત કર્તવ્ય કાર્યવ્યવહારમાં રાગશ્રેષના અભાવે નિર્લેપતા રહી શકે છે. કર્તવ્ય કાર્યને નિર્લેપવ્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિર્લેપ ઉપગ ધારણ કરવું જોઈએ. નિર્લેપવ્યવહારમાં જે જે કષાયે પ્રગટતા હોય તેનાં કારણે તપાસવાં અને કષાને વેગ રોકવા પ્રયત્ન કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્ય કર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કર્મો કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિર્લેપતા રાખે અને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy