SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે. જ્ઞાન વિનાના કર્મવેગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયાયોગ યાને કર્મવેગ સેવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની મુક્તિ યાને પરતંત્રતાનો નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થની દૃષ્ટિએ શનિશિયા મોક્ષ એ સૂત્ર કહ્યું છે. જ્ઞાન પૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ સ્વાતંત્રય, પ્રજા સ્વાતંત્ર્ય, વ્યકિત સ્વાતંત્ર્ય, વ્યાપારાદિ આજીવિકા પ્રવૃત્તિ સ્વાતંત્ર, વિચાર સ્વાતંત્ર આદિ અનેક પ્રકારનાં સ્વાતત્રિોથી દુખેની મુકિત થાય છે. પાતંત્ર્ય એજ મોટામાં મોટું દુઃખ છે તે. નાથી મુક્ત થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક વચ્ચે પ્રવૃત્તિની જરૂર છે. વ્યાવહારિક મુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે. તૂ તે સૂન જે વ્યાવ હારિક કર્મો કરવામાં શર છે તે ધર્મ કરવામાં શૂર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક કર્મવેગથી વ્યાવહારિક મુકિત અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને ધાર્મિક જ્ઞાન ક્રિયાથી ધાર્મિક મુકિત પ્રાપ્ત થાય છે. કયેગ રહસ્ય ગ્રન્થમાં લે. મા. શ્રીયુત તિલકે પણ જ્ઞાનવિશ્વ મોક્ષ એ સૂત્રના ભાવનું વ્યાપકાર્થપણે ભગવદ્ગીતામાંથી અવલંબન લીધું છે. સર્વ ખંડોના મનુષ્ય વાસ્તવિક કર્મગનું સ્વરૂપ ભૂલી ગયા છે. સ્વાર્થ બુદ્ધિથી આજીવિકાદિ કલહ યુદ્ધ કર્યા કરે કર્મયોગ લખવાની છે. શક્તિમત્તે ગરીબોના ભેગે કહેર માર્યા કરે છે. આવશ્યક્તાના ક્રોધ, માન, માયા, લોભ અને કામના દાસ બનીને હેતુઓ, એક બીજાનાં ગળાં રેસવાને માટે મનુષ્ય કમયેગને દુરૂપયોગ કરે છે. શકિતવાળા દેશ ગરીબ દેશને ગુલામ બનાવવા પ્રયત્ન કરે છે. હિન્દુસ્થાન અનેક રીતે દુઃખમાં સબડે છે અને તે સ્વશકિતને મોટા ભાગે ગુમાવી બેઠું છે. જેની વ્યાવહારિક પડતીની સાથે ધાર્મિક શકિતની પડતી થવા લાગી છે. હિન્દુસ્થાનમાં પરસ્પર જુદા ધર્મવાળાઓ હજી સંકુચિત દૃષ્ટિથી પરમેશ્વરને માટે જુદા મતિથી લડીને અવનતિ કરે છે. એક તરફ અત્યંત સત્તાનું જોર વધવા માંડયું છે અને તેથી પ્રજા સ્વાતંત્ર્યના દ્વારે તાળાં પડવા લાગ્યાં છે, એક તરફ લક્ષ્મીવતે ગરીબોને દુઃખી કરીને પણ પિતાનું ઘર લક્ષ્મીથી ભરવા ધારે છે. દરવર્ષે લાખો કરડે પશુઓ કમાય છે. કેટલાક ધર્મ ગુરૂઓ બનીને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy