________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭ કરે છે અને તે ફરજને યદિ વિમરે તે આચાર્યપદથી ભ્રષ્ટ થાય છે. અએવ આચાર્યે પિતાની ફરજ અદા કરવી અથવા પિતાની ફરજો પ્રમાણે ન વર્તાય વા ન વર્તવાની રૂચિ હોય તે તે પદ અન્યને સાપી તેનાથી નિવૃત્ત થવું. જે જે અધિકાર પ્રમાણે જે જે કાર્યોની ફરજ અદા કરવામાં કષાએ આવીને ઉભા રહે તે તેના રહામું યુદ્ધ કરીને કષાયને પરાજય કરે જોઈએ. પરંતુ કર્તવ્યભ્રષ્ટ થવાથી એકદમ મુક્તિપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્વાધિકારે સ્વસ્વકાર્યોની ફરજથી ભ્રષ્ટ થએલમનુષ્ય સ્વયં ભ્રષ્ટ બને છે, એટલું જ નહિ પરંતુ તે પિતાના વિચારે અને આચારના વાતાવરણની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે, અને તેથી કષાયના વાતાવરણને તે અનેક પ્રકારે ફેલાવનારે બને છે. અએવ શુષ્કજ્ઞાની વા શુષ્કકિયામાર્ગી બનવું તે કોઈ રીતે રેગ્ય નથી. એમ પ્રત્યેક મનુષ્ય આ બાબતને વિચાર કરીને સાપેક્ષજ્ઞાન ક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાનગપૂર્વક નિકષાય ભાવથી કર્મ
ગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણ થાય છે અને તેથી વિશ્વસમાજ પર પણ કર્તવ્ય કર્મ ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાયાની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જોઈએ એમાં મારે કંઈ કષાય કરવાની જરૂર નથી વા અહંમમતા કરવાની કંઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિલેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાનવિના દરેક કાર્યોની ફરજને પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કર્તવ્યકર્મની અવ્યવસ્થાપૂર્વક સંમૂચ્છિમ પંચંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ દશા અનંતગુણ ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થગ્ય ધર્મ કર્મની ફરજ અદા કરવાની છે અને સાધુ દશામાં સાધુના યોગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની હોય છે તેનું સ્પષ્ટીકરણ ચોગદીપક ગ્રંથના પ્રાંત ભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક વ્યાવહારિક ધામિકકર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે અને કષાય સ્વભાવ છે તે પર
For Private And Personal Use Only