SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૬ સર્વકાર્યોને તટસ્થ ભાવે સાક્ષી પૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેઓને ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષે ધર્મગ અને રવરવ ગૃહસ્થ સ્થિતિ વ્યાવહારિક કૃત્યને સેવનારા હોય છે, તેમાં તેઓને કદાપિ છૂટકો થવાનું નથી. પરંતુ તેમાં કશ્ય સારાંશ એ છે કે રજોગુણ અને તમે ગુણ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિ કષાય ભાવપૂર્વક તેમાં તેઓ પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મેક્ષ માર્ગના આરાધક થઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે ગૃહમાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણએ સ્વસ્વાધિકારે આવશ્યક કર્મયેગની પ્રવૃત્તિ થયા કરે છે અને તેમાં સર્વજ્ઞાનીઓ કે જે ભૂતકાળમાં થયા વર્તમાનકાળમાં થાય છે, અને ભવિષ્યકાળમાં થશે તેઓને, એક સાધ્ય લક્ષ્યબિંદુની અપેક્ષાએ એક સરખો ઉદ્દેશ હોવાથી આગમાવિરૂદ્ધપણે એક સરખી કર્મગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમાં જ્ઞાનીઓની આજ્ઞાજ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષી અને તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યોની પ્રવૃત્તિમાં નિર્લેપપણું વધતું જાય છે. આંતરનિર્લેપતા પૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પરિણામ એ આવે છે કે પિતાના આદર્શજીવનની અસર વિશ્વપર થતાં વિશ્વના મનુષ્ય નિર્લેપભાવે કર્મવેગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી સર્વ પ્રકારના ધર્મોનું રક્ષણ થાય છે. નિકષાય પરિણામ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોમાં વિજ્ય સંપ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણ સ્થાનક પર આરહણ થાય છે. પ્રત્યેક કર્મગીએ યાદ રાખવું કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાર્યોમાં મારું તારું કર્યાવિન અધિકાર પ્રાપ્ત થએલ કાર્યોને મારે કરવાં જ જોઈએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પિતાની ફરજ છે એમ માનીને અંતરથી ન્યારા રહી કાર્ય કરવાની જરૂર છે. રાજા પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકાની ફરજને અદા કરે તે તે ગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પોતાની ફરજ પ્રમાણે જે જે કાર્યો કરે તે એગ્ય જ છે અને તે તે કાર્યો તે કરે તેમાં પિતાની ફરજ તે અદા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy