SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોગ્ય ઉત્સર્ગ અને અપવાદમાર્ગ પ્રતિપાતિ ધર્મકર્મયોગમાં પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમાં અવિરત સમ્યષ્ટ ગૃહસ્થો પાતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયાની અભાવતાની અપેક્ષાએ નિ:કષાયતાપૂર્વક વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાના સારાંશ એ છે કે અવિરતિસભ્યષ્ટિ ગૃહસ્થાને અનંતાનુબંધી કષાયના ઉપશમાદ્વિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે અને તેમજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રવર્ણ વિભાગ ગુણુ કર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યોમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશવિરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાની કષાયાના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાની કષાયાને નાશ કરવાની ઇચ્છાપૂર્વક ધામિકકાર્યની અને ન્યાવહારિક કાર્યની ફરજ અદા કરવા સદા તે તે કષાચેાની ઉપશમતાદિની અપેક્ષાએ નિ:કષાયભાવે કર્મયોગી (કાચચેાગી—ક્રિયાયોગી) બનવું જોઇએ. ઉપર કથેલા જે જે ગુણથાનકને ધારણ કરનારા હોય તેએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની આવશ્યક ફ્રોમાં સદા પ્રવૃત્ત રહેવું જોઇએ. જે જે મનુષ્ય પાતે જે જે સ્થિતિમાં છે ત્યાં તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની ફરજ અદા કરતા રહે છે તેથી તે નિઃકષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થા અને સાધુએ સ્વ રવ ધર્મને પોતાની ફરજ માનીને અદા કરે છે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા શક્તિમાન થાય છે. પાતાતાના વ્યાવહારિક ધર્મકર્મયોગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થા અને સાધુએ જે નિઃકષાય ભાવની કસેાટીએ ચઢીને સુવર્ણનીપેઠે નિર્મલ રહી શકે છે. તેવી રીતે જે ત્યાગી અને ગૃહસ્થના આવશ્યક વ્યાવહારિક તથા નૈક્ષયિક ધર્મકર્મના વ્યાપારોથી ભ્રષ્ટ અનેલા શુષ્ક જ્ઞાનીઓ નિર્મલ રહી શકતા નથી. તે પ્રસંગોપાત્ત જણાવવા પૂર્વક નિઃકષાય ભાવના મૂળ સાધ્ય ખિંદુ તરફ ઉપયોગ દેઇને કથવામાં આવે છે કે જેમ જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ, માન, માયા, લેાભ, કામ, નિદા અને ઇર્ષ્યાદિના ઉપશમ થતા જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મયોગમાં આદર્શ પુરૂષ થતા જાય છે તેમજ નિ:કષાયતાપૂર્વક For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy