SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૪ એવા ઉપયાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવું આંતરિક ધર્મરહેસ્ય અવધવું જોઇએ. કામમાં પરિણમતાવીર્યને રાધ કરવા હાય તો ખરેખર તેના સામી પ્રબળ જીરસાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઇએ. યમ–નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતા ભાગ લેવા હાય તા કામની ઇચ્છાઓને સમાવવી જોઇએ. વિશેષ શું કહેવું. કહેવાના સંક્ષેપમાં સાર એ છે કે કામની વાસનાઓને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું, પણ તેમાં વિશેષતા સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અહંવૃત્તિ અન્યાની નિંદા અને ઇર્ષ્યા વગેરે દાષા ન સેવવા જોઇએ. કદાપિ એ દોષા સેવાયા તે સમજવું કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કાઇની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદ્ધિ પ્રાપ્ત થઈ શકતું નથી કામને જીતવા હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જડવાદીઓ કામની ઇચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાએને જીતી સમભાવે આત્મધર્મરણુતારૂપ બ્રહ્મચર્યને પાળી શકે છે. ગૃહસ્થા ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વારા સંતોષ અને પરસ્ત્રી મૈથુનને ત્યાગ કરીને દેશત: વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. વિરતિસભ્ય બ્રિગૃહસ્થો દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે, પરંતુ તે કર્મના ઉદયથી દેશવિરતિ બ્રહ્મચર્યની રૂચિ ઇચ્છાપૂર્વક વિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુએ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે અને અતિચારાદિ દોષો લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્યવ્રતની આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને બકુલ અને કુશીલ નિગ્રંથપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વર્તીને સવલનના કષાયે જીતવા પ્રયત્ન કરી શકે છે. આ કાળમાં સાધુઓને સરાગ સયમ કમ્યું છે તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તાષ્ટિયાએ સર્વથા ફામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે એમ પ્રતિપાદ્યું છે. સાધુએ પાતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રૂંધવાપૂર્વક પોતાના સાધુ ધર્મ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy