________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેથી સ્વપરની આત્મતિમાં તે બળનો ઉપયોગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ, ઘેાડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની તો વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણુ રમણતા, સ્થિરતા સમાધિરૂપ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ મહા દુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્ય કરતાં ભાવપ્રહ્મચર્ય અનંતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રષ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શક્તિમાન થાય છે. આ સંસારમાં કામના દાસ અનીને જીવો રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કષાચાને જીતી શકાય છે. કામ કષાયના ઉચે ક્રોધાદિક ચાર કષાયોના પ ઉદય થાય છે. ખરેખર કેટલાક જીવો કામ કષાયના અધીન થઇને
ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉચે કામીજીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહીત થઇને આંધળા અન્યા હોય તેવા થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તો કામ છે. જીવે રૂપ અને સ્પર્શ એ એમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શમાં વારતવિકષ્ટિએ અવલોકતાં દુઃખ રહ્યું છે તેના જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે, કામના વિકલ્પસંકલ્પોથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં સાય છે અને પશ્ચાત્ તે લીંટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યોના તાબે થઇને પરતંત્રતાપૂર્વક અનેક દુઃખાને આ ભવમાં બ્હારી લે છે તે પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તેા જ્ઞાનીએ જાણે. આત્માના વાસ્તવિક ચારિત્રમાં મહાવિજ્ઞ નાંખનાર કામ પરિણતિ છે. કામની પરિણતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા ખરાખર છે. કામના વિકલ્પસંકલ્પને મનમાં જરા અવકાશ આપતાં મનની સમાધિના લેાપ થાય છે. અતએવ આત્મજ્ઞાનીઓએ ભાવપ્રજ્ઞાચર્યની પ્રાપ્તિ કરવામાં કામના અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એવા ઉપયાગ રાખવા જોઈએ. શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક ચાગ અને વ્યાવહારિક ક્રિયાયાગની આરાધનામાં અનેક વિક્ષેપોને છૂંદી શકાય છે. નિયમિત ભોજન, હવા તથા આરોગ્યતાના
૪૧
For Private And Personal Use Only