SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ માને તાયે કાઇ જન, ધમૈં પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છેડી શકે નહીં એમ કુદ્ધતિ નિયમ છે. અન્ય ધર્મ પાળનારાઆને પણ પ્રતિ નિયમ છે. સ્વાભાવિક નિયમ એવા છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હાય છે ત્યાં નિવૃત્તિ ધર્મને આચાર્ય પ્રરૂપે છે અને જ્યાં નિ વૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હાય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી ખન્નેની સમતાલતા જાળવવા આચાર્યાં પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતાં ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જૈન શાસ્ત્રામાં પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગણુતાનાં ચક્ર ફર્યાં કરે છે તેમ સર્વ ધર્મમાં પણ થયા કરે છે. ઇશુક્રાઇસ્ટના જ્યાં જન્મ થયે હતા તે તરફના લોકો રજોગુણી તમેગુણી આદિ પ્રવૃત્તિમાં મશગુલ હતા તેથી તે દેશના લેાકેામાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતઃ રહ્યા કરે છે અને હાલ પણ ત્યાં એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગના ઉપદેશ દેને તેને કમમાંકમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મમાં લાવવાના શુક્રાઇસ્ટના ઇરાદે હતા તેથી કઇ તે ધર્મ નિવૃત્તિ પર છે એમ કહી શકાય નહીં. આર્યાં. વર્ત જ્યારે પ્રવૃત્તિ ધર્મ પ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા મુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિશ્ર ઉપદેશ આપ્યા હતા અને પાછળથી તે ધર્મના સાધુઓને જ્યારે વ્રુત્તિ ધર્મની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યું. ધર્મ શાસ્ત્રાના કથન કરતાં ધર્મ શાસ્ત્રાના અને ધર્માંના સંસ્થાપકાની પ્રવૃત્તિ વા નિવૃત્તિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદ્ગીતામાંના શ્રીકૃષ્ણે અર્જુનને ક્ષાત્ર ધર્મ બતાવ્યા અને પોતે યુદ્ધ કર્યું નહીં એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતાં આદર્શ જીવનમાં ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીરપ્રભુએ ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારે ધર્મપ્રવ્રુત્તિયેાને સેવવામાં ખામી રાખી નહાતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મના જે ઉપદેશ આપ્યા છે તેનું ત્રણ કાલમાં પરિવર્તન થઇ શકે તેમ નથી. શ્રીભગવદ્ગીતા જે કાલમાં રચાઈ તે કાલમાં એટલે આજથી લગભગ ખાવીસસે વષઁ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મે પ્રધાન સાંખ્ય શાસ્ત્ર, સંન્યાસ માર્ગ, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતું અને તેથી લોકો નામર્દ ની ગયા હતા ત્યારે. ક્ષાત્ર ધર્મની મહત્તા જાળવવા માટે વ્યાસ પરપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિના ઉપદેશ અપાયા હતા. તે સમયે જૈનામાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ એ ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં એ ચક્રની પેઠે ચાલતા હતા તેથી જૈન શાસ્ત્રકારને એકનીજ ક્ત મુખ્યતા કરવાની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy