SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વ કર્તવ્ય કર્મોધિકારમાં ઉચ્ચ થતા જાય છે, અને તેથી દેશમાં-સામ્રાજ્યમાં સમાજમાં-મંડળમાં-ધર્મસંઘમાં અને પોતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અન્તે તેનું પરિણામ એ આવે છે કે કર્મયોગમાં આ માની વિશુદ્ધિથી ઉચ્ચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કર્મયોગના રણક્ષેત્રમાં મેહ શત્રુને પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કર્મચાગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિન્ન કરીને તેના અધઃપાત કરનાર ખરેખર ક્રોધ, માન, માયા અને લેબ એ ચાર કષાયેા છે. ક્રોધાદિ ચાર કષાયને નાશ કરનાર ખરેખર કર્મચેાગક્ષેત્રમાં કર્મચાગી બનવા સમર્થ થાય છે. ક્રોધ, માન, માયા, લેાભ, ઈર્ષ્યા, નિન્દા, દ્વેષ, ક્રૂર કૃષ્ણલેશ્યાદિક પરિણામ, અસહનશીલતા અને મમત્વાદિ પરિણામથી ઘેરાયલો અજ્ઞાની જીવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી, ન્યાયપદવી, સેનાધિપતિપદવી આદિ મહા પદવીઓને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્યોને દુઃખના હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પરિણામથી ઘેરાયલે મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમાં વિહાર કરતા છતા સ્વપરને અશાંતિ, દુઃખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અતએવ વ્યાવહારિક કર્મયોગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાંત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજખી જણાય છે તેમ તેના કરતાં ધાર્મિક કર્મયોગ ક્ષેત્રમાં જ્ઞાની, શાંત, ઉદાર, ગંભીર, જીતેંદ્રિય, સાપેક્ષદ્રષ્ટિધારક, એવા ધર્મ કર્મયોગીની અનંત ગુણી ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. ગૃહસ્થ કર્મચેગીને વ્યાવહારિક તથા ધાર્મિ કકાર્યામાં જ્ઞાની અને શાંત થઈને પ્રવર્તવાની જરૂર છે તેના કરતાં ધર્મકર્મયોગના અધિકારી સાધુને તે અનંતગુણા વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપક્વ બનીને ધર્મ કર્મયોગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરરોજ આહારાદિની ક્રિયાઓ કરવી પડે છે. આહારાદ્વિની ક્રિયાઓ કર્યાંવિના છુટકો થતા નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એતો વ્યાવહારિકદ્રષ્ટિએ આવશ્યક સિદ્ધ ઠરે છે તેથી તેમાં જેમ જેમ રાગદ્વેષના મન્દ પરિણામે પ્રવર્તવામાં આવે છે તેમ તેમ તેમાં દિબ્ય શાંતરસને પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતા અનુભવમાં આવે છે. જ્ઞાન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy