________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
આરાધવી, પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાંસુધી કદાપિ પરીખથવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધામિક કર્મોની કર્તવ્યદિશા અવધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાગે ઉત્સર્ગ અને અપવાદથી સાધુ કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક સ્થવિર, રત્ન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થ રક્ષા-ઉપદેશ અને ધર્મને પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાધ્વીને સંઘ વધારવા પ્રયત્ન, પ્રતિકમણુ–પ્રતિલેખન-પઠનપાઠન-વિહાર આદિ જે જે કૃત્યે આગમાં જણાવ્યાં છે તે તે કરવા જોઈએ. સાધુએના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભારે ઉત્સર્ગ અને અપવાદમાર્ગ કૃત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમણતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વરવદશચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને શુષ્કજ્ઞાની અને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કથવામાં આવ્યું છે. વિશેષાનુભવ તે ગીતાર્થોની ઉપાસના કરી મેળવ અને આત્મજ્ઞાનપૂર્વક કષાયને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થોએ વર્ણાદિકની અપેક્ષાએ રવાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ સ્વાચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કર્મયોગપ્રવૃત્તિમાં કષાયની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાં સુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતના પૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવા જોઈએ પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરૂદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યાં છે તે કરવાં જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વરવાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ.
જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતું જાય છે તેમ તેમ
For Private And Personal Use Only