SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ યોગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મયોગ આદરણીય છે એમ કથ વાનું કારણ એ છે કે તેમ કરવાથી કર્મયોગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યબિન્દુ સ્વકીયજ્ઞાન હૃષ્ટિમાં કાયમ રહે છે અને તેથી કદાગ્રહ, પક્ષપાત, ક્રિયાભેદ, મતાંતર, અને સંકીર્ણતા વગેરે જે અનેક દોષો પ્રકટીને ક્રિયાકર્મયોગમાં પરંપરાએ અશુદ્ધતા વધારીને જનસમાજની અધઃપાત કરી દે છે તે દિ થતા નથી. જ્ઞાનયોગપૂર્વક ક્રિયાયોગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યષ્ટિ અને ઉદારભાવ તથા સાંપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સંયોગામાં કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાના ખ્યાલ રહે છે. શાસ્રાથી અવિરૂદ્ધપણે ગૃહસ્થાને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે અને સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે ધાર્મિક કર્તવ્યકર્મોનું ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગથી ઉપર્યુક્ત ઉપદેશદેશાલેખન કર્યાબાદ કષાયા સંબંધી કથવાનું કે ક્રોધ, માન, માયા, લાભ, અને કામાદિકખાને જેમ જેમ મંદશાંત કરવામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે, અને અન્ય જીવાને આત્મકલ્યાણમાં પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લાભ કષાયાને નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અલ્પ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના પુદ્ગલા રહે છે અનેતે પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ તરીકે અવધવાં. વીર્યના પુદ્ગલાથી સ્ત્રીવેદ પુરૂષવેદ અને નપુંસકવેદ પ્રકૃતિ પુદ્ગલ સ્કંધા ભિન્ન છે. પુરૂષવેદાદિ પુદ્ગલ સ્કંધના ઉદ્દયમાં વીર્યાદિ પુલે નિમિત્તરૂપે પરિણમે છે. પુરૂષવેદાદ્ધિ પ્રકૃતિયે સર્વથા ક્ષીણ થતાં વીર્યાદિ પુછ્યો કદિ પુરૂષવેદાદ્વિ પ્રકૃતિયાના વિકારકરવાને શક્તિમાન્ થતી નથી. પુરૂષવેદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરૂષવેદ વિકારને નષ્ટ કરવાના વિવેક પ્રગટે છે. પુરૂષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. પુરૂષવેદાદિનો નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ્પ અને વિકલ્પોન નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy