________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
??
સેવતાં હોય તા હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. કપટના પરિણામ અમુક પ્રકારે માહ્યતઃ શાંતિનીચેષ્ટા આદિચેષ્ટાઓ દર્શાવવા શક્તિમાન થાય છે તથાપિ હૃદયની શુદ્ધતાવિના આત્મોન્નતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદન્તીમાં અનુભવ સત્ય સમાયલું છે એમ પ્રત્યક્ષ દૃષ્ટાંતાથી અવધી શકાય છે. વિક્ અને બ્હારાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોના અભ્યાસ વિશેષતઃ હોય છે એમ લેાકેામાં વ્યવહરાય છે અતએવ ધર્મક્રિયાઓમાં પણ દાંભિકાભ્યાસવાસના ચેષ્ટા - એનું અવલાકન થાય છે તે તેમાં કંઇ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિ સમુદ્ભૂતાંભિકસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મકર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાયઃ પ્રગટે છે એમ અનુભવગોચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિકપરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અતએવ ચૈતન્યવાદી આધ્યાત્મિકતત્ત્વોપાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પિરણામને સર્વથા ત્યાગ કરવા એ ઉચિત કાર્ય છે. કીર્ત્તિ, પૂજા, સત્કાર, માન, અને લોકસંજ્ઞાદિ કારણે કપટ પરિણામ અને કપટાચારનું આસેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માયાના દાસ બનવું પડે છે તથા તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણા કરતાં કીર્ત્યાદિ વસ્તુઓને મહાત્ માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્યમાં કપટ પરિગ્રામ એ શેતાનનો પાઠ ભજવીને જગત્ની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચાર અને આચારમાં કપટ પરિણમતાં આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાએ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક અનવું પડે છે. આત્મામાં કપટના પરિણામ ચક્રિ વિદ્યમાન છે તો સ્વયમેવ મનુષ્ય, દુ:ખકૂપમાં પડેલ છે એમ અવમેધવું. મૈત્રી ભાવનાના મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવને પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કૃષ્ણસર્પની સંગતિ, સહસ્ર દરજે શ્રેષ્ઠ છે. કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તો એકભવમાં મૃત્યુ થાય છે અને કપટ પરિણામના ચેાગે તો સંસારમાં અનેક અવતારો કરવા પડે છે. કપટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તો પલાયન કરી
For Private And Personal Use Only