________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સંયમાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મ સ્વરૂપ કે જેને અનુભવ, વસ્તુતઃ હું તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં ચાગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાંખી પ્રાપ્ત થાય છે. જો જડ પદાર્થાની તૃષ્ણા હોય તો આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગન કુસુમવત્ અવધવી. શબ્દ, રૂપ, રસ, અને ગંધાર્દિક વિષયેામાંથી સાનુકુળ અને પ્રતિકુળ વૃત્તિના સંહાર કરીને આત્મસ્વરૂપમાં લીન થવાથી પરમાત્માનો અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગમાં સર્વ પદાર્થોમાં ભિન્ન ભિન્ન જીવાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકુળત્વ અને પ્રતિકુળત્વના વ્યવહાર થતા અવલોકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક, આત્મામાં સ્થિત રાગદ્વેષ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પોતાના સ્વભાવે અન તશક્તિમય છે. રાગદ્વેષના જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઇશ્વરીયજ્ઞાન જ્યોતિના પ્રકાશ થાય છે. આત્માની સમ્યગ્ જ્ઞાન જ્યાતિને ઇશ્વરીયજ્ઞાન જ્યોતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે એક વખત એક ગુરૂની પાસે શિષ્યે પ્રાર્થના કરી કે હુ કેતુ ભજન કરૂં. ગુરૂએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરૂના પર વિશ્વાસ રાખીને શિષ્યે શેતાનનું ભજન પ્રારંભ્યુ. તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારૂ ભજન કરે છે. શેતાન પેલા શિષ્યનાપર સતુષ્ટ થયે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે તું જે માગે તે આપું, માટે જેની ઇચ્છા હોય તે માગ ! શિષ્યે શેતાન પ્રસન્ન થયાનુ વૃત્તાંત પોતાના ગુરૂને કચ્યું. ગુરૂએ શિષ્યને કથ્યું કે તું શૈતાનની પાસેથી એવું માગી લે કે તારા હૃદયમાંથી શેતાનના વાસો નીકળી જાય. ગુરૂની શિક્ષાનુસાર શિષ્યે શેતાનનું મરણ કરી બોલાવ્યેા. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનુ કહ્યું. શિષ્યે કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મ્હારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ
For Private And Personal Use Only