________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩ નિર્વિકપ સમાધિમાં પિતાના આત્મારૂપ પરમાત્માની સાથે સ્વાચિત્તવૃત્તિની એકતા થવાથી પરમાત્મજ્ઞાન સાગરમાં ચિત્તવૃત્તિને સંબંધ થવાથી પશ્ચાત પરભાષામાં જે જે વિચારે ઉદ્ભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વૈખરી વાણી દ્વારા બહાર આવે છે અને તે ઈશ્વર, દેવ, સર્વજ્ઞવાણી તરીકે લેકમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિવિકલ્પ સમાધિદ્વારા આત્મીય સંબંધ થવાથી પરમાત્મસ્વયં અવબોધાવવાથી સર્વ પ્રકારની વાસનાઓ કે પરપુદ્ગલદ્રવ્યસંગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવનાં કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હોય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનું ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવું હોય તે નિવિકલ્પ સમાધિને અંતમુહર્ત પર્યત અનુભવવાની જરૂર છે. નિવિકલ્પ સમાધિને અંતમુહૂર્ત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણાં ઉઘડી જવાથી આગળ જે પ્રાપ્તવ્ય અવશેષ રહ્યું હોય તે સહજે પ્રાપ્ત થાય છે, એમાં જરા માત્ર સંશય નથી. નિવિકલપકસમાધિમન્ત મુનિએ નિવિકલ્પક સમાધિના ઉત્થાન કાલ પશ્ચાત્ ધર્મકર્મ જે જે કાર્યો કરવાના અનેક દષ્ટિથી બતાવવામાં આવ્યાં છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવા અને પુનઃ નિવિકલ્પક સમાધિકાલમાં આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારંવાર સેવ્યા કરવું.
આત્મજ્ઞાનને પરિપકવ બંધ થયો હોય તેને નિવિકલ્પક સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષમાં ઉપાધ્યાય જણાવે छ .----अत्यन्तपक्वबोधाय, समाधिनिर्विकल्पकः वाच्योऽयनार्ध विज्ञस्य, तथा चोक्तं परैरपि ॥ आदौ शमदमप्रायै, गुणैः शिष्यं प्रबोધક્યા મિર્વ & ગુરમિત વષથે I અત્યંત પક્વબોધાર્થ, નિવિકલ્પક સમાધિવાચ્ય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે. આદિમાં શમદમગુણવડે શિષ્યને ગુરૂએ બેધ દે. પશ્ચાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બોધ દે. આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિવિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદ્વારા નિવિકલ્પ
For Private And Personal Use Only