________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
જણાતું નથી તે એટલા સુધી કે મુદ્દિકાર ચેફુલમનને એવી સહજદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરાડા તીર્થ પૂજા સેવા, કરોડો વૃત્તા-તપ જપ વગેરેનું વાસ્તવિકકર્તવ્યફલ પ્રાપ્ત થયું એમ અનુભવ આવે છે. આવી આત્મદશાને અનુભવ આવે ત્યારે જાણવું કે અનંતભવનાં કર્મ ટળ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવન મુક્તતા પ્રાપ્ત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એવા શુદ્ઘપયોગથી અનુભવ કરવા અને તેવા ઉપચાગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્યકરતાં હું પરમાત્મા છું એવા ઉપયોગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઇએ કે જેથી સર્વ પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી સત્તાએ રહેલું પરમાત્મપદ છે તે અન્તમાં પરમાત્મપણે વ્યક્તિથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મશ્રદ્ધાથી ઉપયોગે પ્રવર્તવાના અભ્યાસ પાડવાથી આત્માનન્દરસના અનુભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાના અભ્યાસ સેવતાં પ્રથમ નીરસત્ત્વ લાગશે પરંતુ પશ્ચાત્ અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુભવજ્ઞાન જાગ્રત થશે એમ નક્કી અવધવું. આવી દાના અનુભવ આવતાં પરભાવના વિકલ્પસંકલ્પનું મૂળ વિનષ્ટ થાય છે. હું પરમાત્મા છું એવા ઉપયેગ રાખીને તેના દ્રઢ સંકારા હૃદયમાં પાડવાથી અને સર્વત્ર સર્વ પ્રાણીઆને પરમાત્માપણે ભાવવાથી હૃદયમાં ક્ષુદ્રવૃત્તિ, અને નીચવૃત્તિ તે પ્રગટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માસ, બે માસ પરિપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી ક્ષુદ્રવૃત્તિ અને અન્યજીવાપ્રતિ ધિક્કારની વૃત્તિ તથા તેપ્રતિ કોઇ પ્રકારની હૃદયમાં અશુભવૃત્તિ પ્રગટવા પામશે નહિ. એને થોડા ઘણા અનુભવ આવ્યાવિના રહેશે નહિ એમ અનુભવ ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કથ્યા પ્રમાણે આચારમાં આ બાબત મૂકીને પરમાત્મભાવનાને અનુભવ એકવાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્મભાવનાની લગની એવી લાગશે કે કદી તે છુટશે નહી અને પરમાત્મત્વ પ્રગટ થશે ત્યારેજ માહે ભાવના વયમેવ વિલય પામશે તથા અનન્તજ્ઞાન દર્શન અને ચારિત્રાદિગુણે પેાતાને દેખવામાં આવશે. તએવ પરમાત્મભાવનાના મેક્ષાપાય સદા સેવવા જોઇએ.
For Private And Personal Use Only