SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મનું બંધન થતું નથી ઈત્યાદિ વાકય પ્રયોગોમાં જે કર્મ શબ્દ વાપર્યો છે તે કર્મથી જ્ઞાનાવરણ. દર્શનાવરણય. મોહનીય. અંતરાય. નામ, ગોત્ર, આ યુષ્ય અને વેદનીય એ આઠ કર્મનું તથા તેમાં સમાઈ જનાર પ્રારબ્ધ, સંચિત ક્રિયમાણ કર્મનું ગ્રહણ અવધવું. બાહ્ય કર્મો કરતાં છતાં તેમાં મોહનીયાદિ કમથી લેપાવું નહીં અને મેહનીયાદિ કર્મને નાશ કરે એજ કર્મ યેગનું રિહરય છે અને કર્મ યોગીઓએ કર્મયોગને મેહથી નિર્લેપ રહી સેવવાં જોઈએ એજ સકલ ગ્રન્થનો સાર અવધવો. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનું વિશેષ પ્રકારે સ્વરૂપ સમજ્યા વિના કમજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. શ્રીમદ્ દેવચંદ્રસૂરિ કૃતકર્મ છ ગ્રન્થમાં આઠ કર્મનું વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે. પ્રાચીન સંસ્કૃત કર્મ ગ્રન્થ કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે. તે વાંચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. કર્મ ગ્રન્થનું એક વાર પૂર્ણ જ્ઞાન કોઈ કરશે તેને જૈન ધર્મનું મહત્વ સમજાયા વિના રહેશે નહીં–આચારાંગ સૂત્ર. સ્થાનાંગ સૂવ, ભગવતી સૂત્ર. કર્મ વિપાક સૂત્ર વગેરે સૂત્રોમાં જ્ઞાનાવરણુયાદિ કર્મોનું સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે તેમાંથી ખાસ કસ્વરૂપ જાણવું જોઈએ. જૈન શાસ્ત્રોમાં જેવું જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવું અન્ય ધર્મના શાસ્ત્રમાં વર્ણન નથી. અમેએ ચાર વેદ પૈકી ત્રણ વેદોની સંહિતા. તે ઉપરના કેટલાક ગ્રન્થ. એકને અઢાર ઉપનિષદો, પુરાણે પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં છપાયાં છે તે પુરાણે તથા યોગવાશિષ્ટાદિ અનેક ગ્રનું વાંચન મનન કર્યું છે પરંતુ જેવું જૈનાગમાં જૈનશાસ્ત્રમાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ લખાયું છે તેવું તે અન્ય ગ્રામાં વાંચ્યું નથી. આત્માને અને કર્મને કેવી રીતને સંબંધ છે અને સંસારમાં રાશી લક્ષ નિમાં કર્મથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનું જૈનશામાં જેવું વર્ણન છે તેવું સાંખ્ય શાસ્ત્રામાં પણ અમારા વાંચવામાં વર્ણન આવ્યું નથી. સાંખ્ય શાસ્ત્રાનાં તત્ત્વોને અનેક પ્રકાર અનુભવ કર્યો છે પરંતુ કમની ફિલોસોફીમાં જૈનશાસ્ત્ર આગળ સાંખ્યશાસ્ત્ર ઝાંખુ પડી જાય છે. કુરાન, બાઈબલ, વગેરેમાં જનશાસ્ત્રાની પેઠે કર્મનું યથાર્થ સ્વરૂપે વર્ણવવામાં આવ્યું નથી. જૈન ધમ્મપાદ વગેરે ગ્રન્થમાં જૈનશાસ્ત્રોની પેઠે કર્મનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું નથી. કર્મનું સ્વરૂપ સમજવાને માટે દુનિયાના સર્વ મનુષ્યએ કર્મનું સ્વરૂપ સમજવું જોઈએ એમ અમે નિષ્પક્ષપાત દષ્ટિથી સર્વ છના હિતાર્થે કહીએ છીએ. જેનાગોમાં કર્મનું સ્વરૂપ વિશાલતાથી વર્ણવ્યું છે તેથી એમ ન માની લેવું જોઈએ કે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy