________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવ આર્યાવર્તમાં ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યના જીવનમાં ઉચ્ચતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ, માન અને ભૂતે પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતા જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધોમાં સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વર્ગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુતઃ પિતાને ઓળખે અને આત્મોન્નતિમાર્ગપ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે વા આત્મામાં પરમાત્માને રાખી શકે એ પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડનીપ્રવૃત્તિમાં જે કંઈ અશુદ્ધતા થએલી હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અતવ આર્યાવર્તાદિ સર્વ દેશમાં અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીયજન રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહાન્નતિમાં આસક્ત રહી અન્યદેશીય જનની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે આધ્યાત્મિક શાસ્ત્રોને અભ્યાસ કરે અને આધ્યાત્મિક તત્વવેત્તાઓના સમાગમમાં આવે તો તેઓ અન્યજીવોના હિત કલ્યાણથી અવિરૂદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે એવી શકે અને તેથી તેઓની ખાદ્યાન્નતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તનું મહત્વ ની અવધી શક્તા હોવાથી તેઓના બાહ્યસ્થલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપયોગી થઈ શકતું નથી. બાહ્યસ્થલ દષ્ટિએ જે વિચારો અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવકતાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અતએ આધ્યાત્મિક દ્રષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવબધી શકે છે તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અવકનારા હેવાથી પદાર્થવિવેકમાં પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ, અને ગૃહસ્થ બાહ્યવિષયેના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મજ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદષ્ટિસહ વ્યવહાર અને ધર્મનાં કર્તવ્ય કરતાં થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે
For Private And Personal Use Only