________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬ જીવનાદિ પ્રયોગે જે જે પૃહાઓ ઘટે તેઓને ધારણ કરવી એ પ્રમાણે પૃહાની મર્યાદા બાંધી પશ્ચાત્ જે જે પૃહણીય કાર્યો હોય તે ફક્ત આજીવિકાદિપ્રયેગે આદરણીય છે એવું મનમાં ધારીને સ્વકર્તવ્ય ફરજના ઉપર આવી જવું પશ્ચાતું કર્તવ્ય ફરજ પ્રમાણે પ્રવર્તવું કે જેથી અનેક દોષથી મુક્ત થવાય અને સ્વકર્તવ્યકર્મમાં અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્ય આ વિશ્વમાં સ્વાધિકાર પ્રમાણે નિસ્પૃહ બને છે તેઓ અન્યને સદુપદેશ આપીને સત્યકર્તવ્યને માર્ગ દર્શાવી શકે છે. ત્યાગીઓ સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિહ હોય છે. તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યોને સ્વતંત્રપણે સત્ય કથવાને શક્તિમાનું થાય છે. નિઃસ્પૃહી ત્યાગીએ મેટા મોટા રાજાઓને સત્યકર્તવ્યકાર્યોને ઉપદેશ દેવાને શક્તિમાન્ થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગ વાળનાર ત્યાગીઓ છે, કારણકે તેઓને રાજાની પૃહા નથી. શિવાજીને સત્યકર્તવ્યબોધ આપનાર રામદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિઃસ્પૃહપણે સત્યધ આપનાર શ્રી શીલગુણસૂરિ હતા. શ્રી કુમારપાલરાજાને ગ્ય સત્યકર્તવ્ય રાજ્યકાર્યોને બોધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાઓ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય છે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયે અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાઓ અને રાણુઓને ત્યાગી મુનિયેએ નિસ્પૃહપણે બોધ આયે હતે અતએવ અવધવું કે નિઃસ્પૃહતાથી અનેક લાભ મેળવી શકાય છે. સંસારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની સ્પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમાં અનેક જીવને નકામી અનેક પ્રકારની હાનિ કરી શક્ત નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થોની પૃહાને ત્યાગ કરવાને માટે શ્રી વિરપ્રભુએ ગૃહસ્થના કલ્યાણાર્થે પરિગ્રહ પરિમાણવિરમત્રત કચ્યું છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્ય યદિ વર્તે તે તેઓ
For Private And Personal Use Only