SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ હોય અને જે જે કાર્યો હાથમાં લીધાં હોય અથવા હસ્તમાં લેવાનાં હોય તેની વ્યવસ્થાને બેધ કર જોઈએ. તે તે કર્તવ્યકાર્યોની વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કરવું જોઈએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઈએ. વ્યવસ્થિત પ્રધથી કર્તવ્ય કાર્યની પરિસ્થિતિમાં ઘણા પ્રકાશ પડે છે. ઈંગ્લાંડ, જાપાન, જર્મન, અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબંધ છે. વ્યવસ્થિત પ્રબેધપર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહેલે છે. જર્મનના પ્રધાન બ્રીન્સમાર્ક અને ઈંગ્લાંડના પ્રધાન બ્લાસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રબેધશક્તિ હતી તેથી તે રાજ્ય વ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનને પ્રધાન કે જે ત્યાંના એકેડે રાજાને પ્રધાન હતા તેમાં વ્યવસ્થિત પ્રબંધ શક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાટ્યકારક બન્યું હતું. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થા બુદ્ધિ કરતાં ચાણક્ય પ્રધાનને રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધ વિશેષ હતે એમ તેની કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે. ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબંધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગેની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરવી એ સંબંધી વિચારે તરફ લક્ષ્ય આપતાં અવબોધાય છે કે વ્યવસ્થિત પ્રબંધવિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવર્તિલા કેટલાક ધમની દશા થઈ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકમાં પ્રવર્તકેમાં વ્યવસ્થિત પ્રબોધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રધવિના ધર્મના સર્વોની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રબેધપર છે, સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્મ સ્વાસ્તિત્વસંરક્ષી રહ્યા છે અને કરેડો મનુષ્ય ધર્મને પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકેના વ્યવસ્થિત પ્રબેધપર રહેલે છે. ધર્મને પ્રચાર થાય અને ધર્મપ્રચારકે અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy