SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ યુદ્ધ કર્યા છે અને તેથી પરસ્પર કદાગ્રહ કલહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાનોએ કદાગ્રહગે ધર્મવિજય મેળવવા સાતસે વર્ષ પર્યન્ત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. ન્યાયષ્ટિએ દેખીએ તે સ્વકર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ પરંતુ અન્યની બાબતમાં માથુંમારીને કદાગ્રહ કર ન જોઈએ. પિતાના વિચારોને અને આચારે સંબંધી અન્યની સાથે કદાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઉલટું પરસ્પરનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અતએ કદાગ્રહ રહિત થઈ સ્વકાર્ય પ્રવૃત્તિ કરવી કે જેથી સ્વપરની પ્રગતિમાં કઈ પણ જાતને વિરેાધ ન આવે. જે મનુષ્ય કદાગ્રહી હતા નથી તેઓ વિશ્વમાં જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય, સંપ અને ન્યાય એ ત્રણને વિશેષતઃ પૂજનારા થાય છે. આર્યાવર્તમાં મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા ક્યાં સુધી થઈ તે સર્વ સુના જાણવાની બહાર્ નથી. આર્યાવર્તની ઉન્નતિમાં કદાગ્રહ એક ધૂમકે. તુના સમાન નડે છે. ધર્મોન્નતિમાં પણ કદાગ્રહ એક મકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણુને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં દઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદાપ્રયત્ન કરવું જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કર્મ કરવું જોઈએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબાધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સગેમાર્ગ અને અપવાદમાર્ગે કરવા યોગ્ય છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્ય બેધવાળ મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અનેક ઠેકર ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબાધવાળે મનુષ્ય વસ્તુતઃ કદાગ્રહ રહિત થઈને કાર્યપ્રવૃત્તિને સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. સાપેક્ષ કાર્યધથી જે કાલે જે કરવા એગ્ય હોય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હૃદયથી એક કાર્યસંબંધી અનેક હેતુઓ વડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિની સાહાય મેળવી શકાય છે. સાપેક્ષકાર્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy