SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ છે અને એવી તેની પ્રવૃત્તિથી તે સ્વીકાર્યોની પ્રવૃત્તિમાં અને વિચા માં વિશ્વની સાથે ઉદારભાવે પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક છે તેથી આત્મોન્નતિ, કુટુંબન્નતિ, સમાજેન્નતિ અને સંઘોન્નતિમાં અનેક વિક્ષેપો–વિદને ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્ભવે છે. સ્વકાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહે જોઈએ પરંતુ દૃઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલતા ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યવહારિકન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ ધોબીનો કૂતરે ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં દઢપણે પ્રવર્તતાં અન્ય મનુષ્યો તેમાં કદાગ્રહ માને તેથી ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વકર્તવ્યપ્રવૃતિનો ત્યાગ કરે ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્ય સત્યપ્રવૃત્તિને કદાગ્રહના કમે ભેળાભાવથી ત્યાગ ન થાય એવું ખાસ લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કદાચહાથી જનસમાજ સેવાઓમાં અનેક કદાગ્રહો પડી ગયા છે અને પ્રત્યેકધર્મમાં પણ કદાગ્રહગે અનેક લઘુપ પી ગયા છે. સામાન્ય બાબતોના કદાગ્રહથી સમૂહભૂત બેલનું પૃથકકરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્યશક્તિનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમાં જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શકતા નથી. રાજપુતાનામાં અનેક રાજપૂત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત શક્તિની પૃથક્તા કરી અવનતિ માર્ગ પ્રતિગમન કર્યું તે કલટેડના રાજપુતાના ઈતિહાસ (ટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો, બદાચા અને વેદધર્મપ્રવર્તકાચાર્યએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તે કંઈક વિચિત્ર આત્મભેગ આપ્યું છે. જૈનાચાર્યોની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહયોગે અનેક ધર્મ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy