SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૯ શકે છે. આર્યાવર્તમાં નિષ્કામકર્મગીએ જ્યારે ઘણા પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વસ્વાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજને મન, વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે. જ્યારે વ્યાવહારિક અને ધામિક કેળવણીને આપતાં તેની સાથે નિષ્કામદશાને બોધ આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ, ક્ષાત્રકર્મ, વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મયોગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમષ્ટિ રૂપ જગની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામકર્મ પ્રવૃત્તિની જેટલી ઉચ્ચતા છે તેટલી અન્ય કેઈની નથી એમ અનુભવદષ્ટિથી વિચાર કરતાં અવબેધાશે. નિષ્કામ કર્મયોગીને કોઈપણ જાતની વ્યક્તિ અંગે વા અન્યાંગે કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધામિક કોઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના ગે થતા કદાગ્રહને ધારણ કરી શકતા નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારના કદાગ્રહમાં પડવું તે એગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિન્નતિકારક, દેશોન્નતિકારક, સમાજેન્નતિકારક અને આત્મન્નિતિકારક આવશ્યક કર્તવ્ય કરવાનાં હોય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહ ભૂતવીર્યને દુર્માર્ગે વ્યય થાય છે. કદાગ્રહ થવાથી આમેન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિના સિદ્ધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો અને ત્યાગી ધર્મગુરૂઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy