SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ રહે એટલે અવધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનન્દની ઘંન તે સદા પ્રાપ્ત થવાની. આત્માને આનન્દ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમાં છતાં અન્તમાં નિવૃત્તિને અનુભવ આવે છે. આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાાનિમહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શકિત પ્રાપ્ત કરવી જોઈએ. આ વિશ્વના લેકે સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મભાવનાથી પરમાત્માને અનુભવ કરી શકે છે. સ્વાધિકાર નિણિત કર્તવ્યાવશ્યકકાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહા પાપ રહેલું છે એમ પ્રત્યેક મનુષ્ય અવધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ કારનિર્ણત સ્વાધિકારે કર્તવ્ય કાર્યોની યેગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્તશીલ રહેવું જોઈએ. નિર્ણત સ્વાધિકારી અને સાક્ષીભૂત આત્માની પેઠે સાધ્યકર્તવ્યાનુષ્ઠાન મગ્ન અને નિષ્કામ કર્મયેગીને કાર્યની ગ્યતા પ્રાપ્ત થાય છે. અલિપ્તસાક્ષીભૂત થઈને સાધાનુષ્ઠાનમાં મગ્ન રહેવું એ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે સાધ્યકર્તવ્યકાર્યમાં આત્માની પરમાત્મભાવનાવડે સુરતા લગાડને મગ્ન થઈ જવું અને તેની સાથે કર્તવ્ય કાર્યનું વાસ્તવિક રૂપ પણ અવલેણ્યા કરવું. અનેક પ્રકારના શુભ હેતુઓ વડે શુભ ભાવનાથી સાધ્યાનુણાનમાં મગ્ન થવાનું નિર્ધારવું એમ કહેવાથી સાક્ષીભૂતતા અને નિર્લેપતાને જે દષ્ટિએ ધારણ કરવાની છે તેમાં કઈ જાતને વિરોધ આવતું નથી. જે મનુષ્ય કર્તવ્યકાર્યમાં તે તે બાબતની અનેક પ્રકારની શુભ ભાવનાઓથી મગ્ન થઈને નિષ્કામ કર્મયોગી થઈ પ્રવર્તે છે તે ખરેખર સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈચ્છાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તે જ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મયેગી બનીને પ્રવૃત્તિ રણક્ષેત્રમાં આત્માની શક્તિઓથી ઘુમે છે. સ્વાત્માને માટે કઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ ૨૮ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy