________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧ હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિક૯૫સંકલ્પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે અને તેથી સ્વશકિતને અત્યંત દુરુપયેાગ થઈ જાય છે. અતએ આવશ્યક કર્તવ્ય કાર્ય કરતી વખતે અન્ય બાબતોના સંકલ્પવિકલપને આવતાજ શમાવવાનીદબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્યકાર્યમાં મનને રોકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવા જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્યકાર્યો પણ સુસાધ્ય થઈ શકે છે. આવશ્યક કર્તવ્ય કાર્યમાં જ હિપગ રહે અને અન્ય બાબતેના સંકલ્પવિક ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂક્ષ્મ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દઢાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખરા અન્તઃકરણથી પ્રયત્ન કરે છે તે ઘણે અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શકિતની વિશેષ ખીલવણી થાય છે. જે જે ચેગીએ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મને ઉદ્ધાર અને ધર્મને પ્રચાર કરી વિશ્વમાં અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપયોગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંકલ્પવિકલ્પ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિના અભ્યાસીએ કર્તવ્ય કાર્યને ઉપગ રાખવાની ઘેષણ કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્ય કાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મયોગીએ ગુરૂદ્વારા સ્વકાર્ય પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિકલ્પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિકલ્પ નિવાર્યાવિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લેકિક વા લોકેાર આવશ્યકકાર્યો કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને
For Private And Personal Use Only