________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ રાતે નથી અને કર્તવ્ય કાયને અનુપયોગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્યકાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. યુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયેલ હોય છે તેમાં તે યદિ અનુપગપણે વર્તે છે તે તે મોટી હાર ખાઈ બેસે છે. સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્ય કાર્યમાં અનુપયોગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજય પામ્યું હતું. પૃથુરાજહાણે કર્તવ્ય કાર્યમાં ચારે બાજુઓને ઉપગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પિતાના પક્ષમાં થએલી કુટ-વા કયા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકતા નહિ. બદ્ધધર્મના ઉપદેશકે સ્વકર્તવ્ય કાર્યના ઉપગી રહીને પ્રવર્તી હતી તે તેઓને હિન્દુસ્થાન બાહે જાવાને વખત ન આવત. જૈનો પ્રત્યેક ધાર્મિક કાર્યમાં ઉપગપણે પ્રવર્યા હતા તે જૈનેની સંખ્યા ઘટવાને અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અર્થાત ઉપગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પોને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિકકર્મયોગી બને છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય મુદ્ર અને ત્યાગીવર્ગ સ્વકાર્યમાં ઉપયોગધારીને અન્ય વિકલ્પસંકલને ત્યાગ કરે છે તે તે અનેક પ્રકારના અનુભવે પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રની કાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિક૫સંકલ્પનો ત્યાગ કર્યા વિના આત્મોન્નતિ વસ્તુતઃ થઈ શકતી નથી. જે જે કાર્ય કરવું હોય તેમાં મનને જી રાખવું એ કાર્ય અતિમહાન છે સારાંશ કે સ્વકાર્યપ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાંસારિકકર્મપ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિકકાર્યપ્રવૃત્તિના સંકલ્પ અને વિકલને ત્યાગ કરે જઈએ. સામાયિકકાર્ય કરતી વખતે અન્ય બાબતેના વિકલ અને સંકલ કરવાથી સામાયિકબલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા, વ્યાપાર, સેવા, ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત્ત થવામાં આવ્યું
For Private And Personal Use Only