________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તે ઢેડવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમાં પ્રભુપૂજા અને ઢેડવાડામાં ઉઘરાણી કરવાની એ બેમાંથી કયું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા ? અલબત્ત એમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દ્રષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તમાં તે યુદ્ધના વિકલ્પસંકલ્પવડે વર્તતા હતા તેથી તેએ નરકગતિયેાગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યાપયેગથી અર્થાત્ શન્યચિત્તથી થાય અને અન્ય કાર્યાના સંકલ્પવિકામાં મન રમ્યા કરે તે તેથી તે તે કાર્યેાની સિદ્ધિમાં અનેક વિધ્ના સ્વહસ્તે ઉભાં કરી શકાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઇ પણ આશ્ચર્ય નથી. શેઠ કાર્યાત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલા છે અને મનમાં પુત્રાના કાર્યાની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્યાંથી વિજય પામી શકે. શેખશીવત્ જે કંઇ કરે છે તે તેમાં હાનિ પ્રગટાવે એમાં કંઇ આશ્ચર્ય નથી. ભસવું અને આટ ફાકવા એ બે કાર્યને શ્વાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેના ઉપયોગ મૂકીને શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય માખતાના વિકલ્પે અને સંકલ્પ કરવામાં આવે તે તેથી હસ્તધૃતકાર્યેામાં શક્તિયાને ફેરવી શકાય નહિ એ બનવા ચેાગ્ય છે. જે જે સ્વાધિકારે કર્તવ્યકર્મ કરવાનાં હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવા જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતા હતા તે ઝાંઝરમાં ઝીણી કારીગરી ઝીણા આજારાવડે કરતા હતા તે કાર્યમાં એટલા બધા અનન્ય ચિત્તવાળે ઉપયેગી બની ગયા હતા કે તેની આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તા પણ તેની ખબર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમાં વિજય પામ્યા અને તેનું દૃષ્ટાંત સર્વ લોકોને ગ્રહણ કરવા ચૈાગ્ય થયું. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યો કરવાનાં હાથમાં લીધાં હોય તે તે કાર્યોના સંયમ કરવા જોઇએ અર્થાત્ તે કાર્યેામાં ચિત્તને રમાવીને તદ્દીન અનાવવું જોઇએ. બાહ્ય સાર્વજનિક
For Private And Personal Use Only