________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રકૃતિની તીવ્રતાદળીને જેમ જેમ મદતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષભાવે અવબોધવું. હે મનુષ્ય! જેમ જેમ તું આસક્તિથી વિરામ પામતે જઈશ તેમ તેમ તે સ્વકર્તવ્ય કાર્ય ફરજ (ડયુટી) માં અધિકારી થતે જઈશ અને અપ્રમત્તભાવે નામરૂપ નિમિત્તે ઉદ્દભવતી અહંતાદિકવૃત્તિમાં ફસાઈ શકીશ નહિ એમ નિશ્ચયતઃ હૃદયમાં અવધાર. જે મનુષ્ય શુષ્કજ્ઞાની નથી લેતા અને શુષ્કપ્રવૃત્તિવાળે નથી હોતે તે ઉપર્યુક્ત અનાસકતભાવના મહત્વને અવબોધી શકે છે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનાસકતભાવની વૃદ્ધિ કરવાને ઉત્સાહ ધારી શકે છે. કર્તવ્યકાર્ય રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કર્મગિની અધિકારિતાનું આન્તરિકકર્તવ્ય છે. જે કર્મયેગી પિતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં સ્વાધિકારે કર્તવ્ય સર્વ કાર્યોને કરે છે તેજ પ્રભુને ભક્ત છે અને તેજ સ્વકર્તવ્ય કાર્યોના આણુઅણુમાં ભાવનાદષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કર્મયોગીની ફરજને અદા કરતે છતે આનન્દી રહે છે. અનાસક્તમનુષ્ય કઈ પણ મનુષ્યની લાંચરૂશ્વત ગ્રહી શકતો નથી અને સ્વકર્તવ્યસાધ્યબિન્દુની ચારેતરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તે પણ સ્વીકાર્યપ્રવૃત્તિની ફરજની આગળ તેને તે નાકના મેલ સમાન ભાસે છે તેથી તે સ્વપ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતું નથી. અનાસક્તમનુષ્ય આસક્તિરૂપતમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે અવલેકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલચેના પ્રસંગે પણ સ્વસ્વાતંત્ર્યકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાજીમાં ના ભેળવતું નથી. અનાસક્તમનુષ્ય શુષ્ક મૃરિકાના ગોળા જે અને આસકતમનુષ્ય લીલી મૃત્તિકાના ગેળા જેવો છે. લીલી મૃત્તિકાના ગેળાને ભિંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભિંતપર ચૂંટી જાય છે અને સુકી મૃત્તિકાના ગોળાને ભિંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભિંતની સાથે ચોંટતું નથી.
For Private And Personal Use Only