________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આચરણ છતાં અન્તરથી નિરાસક્ત હોવાથી તે વિશ્વમાં કઈમાં ન બંધાતાં આત્મન્નિતિના માર્ગમાં વિદ્યગે વિચરે છે. આસક્તમનુષ્ય સ્વાર્થના પ્રપંચે વિવાહની વરશી કરી નાખે છે અને તે વિષયેનો દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દેના તાબે થાય છે. વિષયોમાં આસકતમનુષ્ય સ્વગ્ય વાસ્તવિક કર્તવ્યકર્મ શું છે તેને દેખવામાં અબ્ધ બની જાય છે અને તે ખરેખર છતી આંખે અબ્ધ અને મન છતાં પણ શુન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલીનવાસનાઓ કે જે અનેક દેશ દુર્ગધથી ભરેલી છે તેને ધારણ કરીને સ્વહૃદયમાં પરમાત્મદેવને વિરાજવાનું કાર્ય તુચ્છ માને છે તેથી તે જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તે સહજાનન્દરસને અનુભવી શક્તિ નથી અને તેથી તે અશુભ વિચાર અને અશુભાચારના વાતાવરણને વધારીને કર્તવ્ય કાર્યક્ષેત્રમાં પ્લેગના જંતુઓના જે બનીને અન્યમનુ
નું ધામિક આરોગ્ય બગાડે છે. અનાસકતમનુષ્ય આત્માના શુદ્ધપગનીભાવનાએ પોતે પરમાત્મા બનીને અને પરમાત્માની સાથે આત્માને ઉપયોગસંબંધ એજીને બાહ્યકર્તવ્યકર્મને આજીવિકાદિકારણે ફરજ દષ્ટિએ કરતે છતે અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારે અને આચારનું શુભવાતાવરણ પિતાની આજુબાજુ ચારે તરફ કર્તવ્યક્ષેત્રમાં પ્રસારીને સ્વસંબંધમાં આવનાર મનુષ્યની પ્રગતિ કરવાને તે સહાયકારક બને છે. રજોગુણી આસક્ત, તમગુણ આસક્ત અને સાત્વિકગુણ આસકત એમ આસક્તમનુષ્યના રવૃત્તિ આદિ વૃત્તિ ભેદે ભેદ પડે છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યોની આસકિત કરતાં સાત્વિક મનુષ્યની આસકિત ઉચ્ચ અને શુદ્ધ હોય છે તેથી તેઓ સાત્વિક આસકિતમાંથી નિરાસકિતભાવમાં પ્રવેશવાને શક્તિમામ્ થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસક્તિ અને બીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસક્તિમાં જવું અને શુભાસકિતમાંથી અનાસક્તભાવમાં જવું. આસતિને ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એતે બોલવામાં અગર વિચારમાં બની શકે પરંતુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિને ત્યાગ થવે એતે આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે. મેહનીય રાગાદિક
For Private And Personal Use Only