SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસોટીએ ચઢેલા અને છેદતાપથી પસાર થતા સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આતરિક દષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુ. ભવવું. આસક્તમનુષ્ય જે કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં આત્મભેગ આપે છે તેના કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકાર સ્વકર્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે આત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશકિતઓને પણ સારીરીતે ખીલવી શકે છે. આસકત મનુષ્ય કઈ પણ સ્વાર્થથી પ્રવર્તે છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મભેગ આપતાં સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસક્તિથી બંધાઈ જઈ આગલની દશાને પ્રાપ્ત કરી શકતા નથી. આસક્તમનુષ્ય શબ્દાદિક વિષચેની આસકિતમાં સ્વપ્રવૃત્તિની મહત્તા અવબોધે છે તેથી તે સ્વકર્તવ્યના વાસ્તવિક પ્રદેશમાં વિચારી શકતું નથી અને સ્વચિત્તની આસકિત જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શોક ઠેષઆદિ દેના વશ થઈને અન્ય જગત્ છને તુચ્છદષ્ટિથી દેખીને સ્વાત્માની પરમાત્મતાને ખીલવવામાં મહાવિદને ઉભાં કરે છે. અનાસક્તમનુષ્ય તે માત્ર સ્વકર્તવ્યફરજને પૂર્ણ કરવામાં લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શદાદિક વિષયની આસકિત માટે ખાસ પ્રવૃત્તિ ન કરતે હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલું જ માત્ર અવ તે હેવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે ફલ ન થાય તો પણ તે શેકા દિકના નીચે દબાઈ કચરાઈ જતો નથી. કેઈ પણ પદાર્થ દેખ, શબ્દ સાંભળવા, સુંઘવું, સ્પર્શકો, પદાર્થોનું ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઈન્દ્રિયની પ્રવૃત્તિથી પશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પોષવું, નવું અનુભવવું, ઈન્દ્રિોની સાહાયથી આત્માની ઉન્નતિ કરવી અને તેઓને સ્વસ્વવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એજ પિતાની કર્તવ્યફરજ છે, પરંતુ ઇન્દ્રિયની પ્રવૃત્તિદ્વારા વિષયેની આસક્તિ ધરવી એ ફરજ નથી. એમ અનાસક્ત આમસાની અવધતું હોવાથી બાહ્યથી તે તેની આસપ્તમનુષ્યના જેવી For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy