________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. આદિ અનેક સાંસારિક કાર્યો કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણાતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલેકીને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયેગની પ્રવૃત્તિનું અનાસક્ત જીવન ગાળવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરે જોઈએ. કૂર્મપુત્રનું અને વિદેહીજનકનું અધ્યાત્મદષ્ટિએ જીવનચરિત્ર વિલેકવામાં આવશે તે તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મ કરતાં આત્મજતિને પામ્યા હતા તેનું મુખ્ય કારણ અનાસકિતભાવ અવબોધાશે. વિશ્વબગીચામાં ફરવાને અને તેને દેખવાને હક્ક છે પરંતુ તેમાં આસક્ત થવાથી કંઈ સુખ પ્રાપ્ત થતું નથી અને ઉલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તમાં અનુભવવાની જરૂર છે. આસક્તિભાવથી જે મનુષ્ય સંસારમાં સ્વકર્તવ્યને કરે છે તે મનુષે સ્વક્તવ્યમાં ઉચ્ચસાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેને બ્રહ્માંડસ્થ મનુષ્યને તથા અન્ય પ્રાણીને પણ આસકિત વાતાવરણની અસર કરીને તેઓનું બુરુકરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતું નથી પરંતુ આસકિતથી તે આત્મોન્નતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતાં પણ જરામાત્ર ગભરાતા નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતાં જાણે પરવારીને બેઠે હોય એવું જણાય છે તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકાર ફરજે કાર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી નકરની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઈ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર કર્તવ્યકમોને કરવાથી એકજાતની વિશ્વમાં કર્મદિગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણરીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું? અને નીચત્વ શું? વસ્તુતઃ વિચારકરવામાં આવે તે તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જરા માત્ર અવકાશ મળતો
For Private And Personal Use Only