SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પરંતુ ભીરૂ થઈને લીધેલા વેષને ત્યાગ કરી અર્થાત જે જે અવસ્થાએ જે જે કર્તવ્ય કરવાનાં હોય તેને ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધે વેષ ભજવતાં ભીરૂથઈ ભાગી જે જે અન્યગ્રહણ કરવામાં આવશે તેને પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવશે ત્યાંથી પણ ભાગી જવાને પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરૂ થઈને કર્તવ્ય કર્મનું એક પગથીયું ચૂકતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અતએવ ભીરૂ થઈને કઈ પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વકર્તવ્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતાં મૃત્યુ પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનવશવર્તી થઈ સ્વતંત્ર વિચારે અને આચારને પ્રકટાવી શક્તા નથી. સંસાર સર્વવિપત્તિ અને દુખોને મહાસાગર છે તેથી વિપત્તિ અને દુખેથી કેઈ બચી શકે તેમ નથી છતાં અનેક પ્રકારની વિપત્તિ અને દુઃખને ભેગવતાં ભીતિના વશમાં ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત્તપણે તત્પર રહેવું એજ ન્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિને ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઈ શકાય છે એમ નિશ્ચયતઃ માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કારે ટળે એવાં શાસ વાંચવાં જોઈએ અને ભીતિના સંસ્કારે ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુને સમાગમ કરે જઈએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધસ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારને નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી. કારણ કે ભીતિથી મન-વચન અને કાયાના ગથી અકૃત્યકાને કરી શકાય છે. પાપનીભીતિથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. અતએ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપગિતા સિદ્ધ કરે છે પરંતુ આત્મામાં ઉંડાઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચકર્મયોગીને પા૫વૃત્તિની ભીતિકરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચલાગશે કે તેમાં તે સદા મગ્નરહેશે અને આગળ આત્મપ્રગતિમાં વધ્યા કરશે. આત્મજ્ઞાનમાં ઉચ્ચ થએલાને સ્વાધિકારકર્તવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમાં પ્રાણનું બલિદાન વા ભીતિપશુનું For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy