________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાશ્રિત મનુષ્યના પાતંત્ર્ય જીવનમાં અને નાશમાં શાપરૂપ બનીશ. નામરૂપની વૃત્તિના પરપોટાએ ક્ષણિક છે તેઓને તું મ્હારા માનીશ નહિ અને તું કદાપિ તેઓના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્ય નામરૂપનીઅહંવૃત્તિના તાબે થઈને મૃત્યુ વગેરે ભીતિથી કહીવે છે અને તેથી કર્તવ્યભ્રષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વમાં જીવે છે તે વસ્તુતઃ જીવનારા નથી. જે મનુષ્ય ભીતિના શરણે જાય છે તે સત્ય–દયા–અસ્તેય-બ્રહ્મચર્ય–પ્રામાણ્ય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારથી ભ્રષ્ટ થાય છે. જે મનુષ્ય ભીતિને ધારણ કરે છે તેઓ ખરા કટાકટીના પ્રસંગે ધર્મને ત્યાગકરીને અધર્મને આદરે છે. જયાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વીરપ્રભુએ કચ્યું છે. ભીતિ ધારણકરનારાઓ ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણ કે તેઓ જીવવાનાકારણે તેવું અસદ્વર્તન પણ અંગીકાર કરી શકે છે. ભીતિધારક મનુષ્ય, સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદધર્મને અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કથીએ તે સત્યવિચારે અને સદાચારેને વેચી નાખી પરનાતાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન-વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન થતું નથી અને તે પિતાના સત્યવિચારે અને કર્તવ્યને અન્યની આગળ જણાવતાં ભય પામીને સ્વજીવનને ભયથી કલંકિત કરે છે. તે મનુષ્ય! જે હને પરિતઃ કેઈપણ કાર્ય કરવું એમ ખરેખર વિવેક દષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિથી ભય પામીશ નહિ. ખરેખર હારા સત્યવિચારે અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિનાં ભૂતડાંઓ અદશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ! તું અજ્ઞાનતાયેગે બ્રાતિથી નાહક મનમાં અનેક ભીતિના સંકલ્પ અને વિકલને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્યમાં ભરૂબને છે
For Private And Personal Use Only