SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ નથી. અએવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં દઢનિશ્ચયીમનુષ્યની કર્તવ્યકર્મમાં અધિકારિતા છે એમ પ્રબોધવું જોઈએ. કાર્યપ્રવૃત્તિને નિશ્ચય કર્યા વિના કદાપિકાલે કાર્યમાં નૈશ્ચયિક દઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મુકીને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વયેગ્યકાર્ય પ્રવૃત્તિને ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત તેને ગ્રહણ કરવામાં આવે છે તે અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દઢનિશ્ચય કર્યાવિના સ્વકાર્યની સિદ્ધિમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતું નથી અને વિપત્તિ પ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબેલ સ્કેરવી શકાતું નથી. સવગુણ, રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા સ્વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકાર સ્વકાર્યપ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રને જ્ઞાતા મનુષ્ય સ્વકાર્યપ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારે વધારે કરીને આત્મબળ ઑરવી શકે છે. જગતહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હોય છે તેની કર્તવ્ય કાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિષેન્નતિ કરવાને ઈચ્છે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વજી વનું કેવી રીતે હિત કરવું જોઈએ, તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યગ જ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલે હોય છે. પિંડ અને બ્રહ્માંડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડપર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગપર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભવિચારે અને આચારની બ્રહ્માંડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાસ્રાદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માંડની અસર સ્વપિંડસ્થ આત્માપર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કર જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્તવાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માંડના પ્રત્યેક જીવને પિતાના પર કઈ કઈ જાતને ઉપગ્રહ થએલે હેય. ૨૨ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy