SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ તે વર્તે હેત તે તેને નાશ થાત નહિ. કનેરના રાજા જયચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે, સમાજાથે અને ધર્માર્થે વિચાર કર્યો હોત તે શાહબુદ્દીન ઘેરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હેત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જરત્રાને નાશ કરવામાં સવયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુઃખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીયનૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્યપ્રવૃત્તિ આદરી હતી તે તેઓની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્યપ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાન્નતિના સૂર્યને અને આકાશીય સૂર્યને અરત થતું નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જેને કેમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરણને પ્રકાશ મન્દ પડવા લાગ્યું અને અવિવેકરૂપ તમને પ્રચાર વધવા લાગ્યું, ત્યારથી જૈનકેમની વસતિ ઘટવા લાગી અને જૈનકમમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ, વ્યાપારબલ અને સેવાબલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિને અસ્ત થવા લાગ્યું. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતેની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં, જે સમાજમાં, જે જ્ઞાતિમાં, જે સંઘમાં, જે દેશમાં જે જે બાબતે વિવેક પ્રગટ જોઈએ તે પ્રગટવા માંડયે એટલે અવધવું કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું. વિવેકપૂર્વક સ્વયેગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રગતિમાર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેકવિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્યકાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી. આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં અને જન્મ જરા અને મરણના પ્રપંચમાંથી છૂટવાને આત્માને વાસ્તવિક વિવેકપ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વગ્ય પ્રત્યેક કાર્યને વિવેક પુરસ્સર કરે છે, તે મનુષ્ય જ્યાં ત્યાં આત્મોન્નતિના કમને અંગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમાં આગળ વહે છે. વિવેકપુરસ્સર સર્વ કાર્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy