SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ શકાતું નથી. ધર્મ ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતું નથી. અતએ જ્ઞાનીઓ મહાગર્જના કરીને કહે છે કે કથની કરવાથી કંઈ વળવાનું નથી. તમે સ્વકાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરે અને આગળ વધે. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસંગમાં આત્મશ્રદ્ધાને હારી જ નથી. તે મૃત્યુના પંજામાં ફસાયલે પિતાને દેખે છે તે પણ સ્વકાર્યપ્રવૃત્તિમાં ધૈર્યને ત્યાગ કરતું નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કેઈ પણ સમયે કેઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાને ત્યાગ કરી વૈર્ય ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જે અન્ય મહોત્સવ નથી એમ અનુભવપૂર્વક અવધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં મુખથી બૈર્યની સિંહ ગર્જના કરનારાઓ તે પ્રાયઃ વિપત્તિ પ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કર્તવ્ય કર્મસમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કઈ પણ કાર્ય કરતાં કંઈને કંઈ વિપત્તિ, ઉપાધિ, લેકચર્ચા, વિપક્ષભેદ, પ્રતિપક્ષભાવ અને વિજ્ઞ વગેરે તે થયા કરે છે પણ જે જ્ઞાની આદિ વિશેષણો વડે યુક્ત છે તે પૈર્ય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પીછે હઠ નથી. તેતે હસ્તીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જને બયા કરે છે તેની પરવા રાખતું નથી. તે તે તેના કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયાપ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજને ફરજ એજ તેને શ્વાસોચસે મંત્રઘેષ હેાય છે. તેથી તે સ્વકર્તવ્ય કર્મપ્રવૃત્તિના માર્ગમાં બૈર્ય બળે અનેક પ્રકારનાં વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત વૈર્ય બળ ખીલ વ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકાર જે કાર્યને આદરે છે તેમાં તે હજારે વિન્નેને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છેદતે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં કઈ પણ કાર્યકારક તે કાર્યને કરશે કે કેમ? તે તેના પૈર્ય ગુણના વિકાશ ઉપર આધાર રાખે છે. જેનામાં વૈર્ય ગુણ ખીલે. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy