________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
ભૂતકાળમાં અનન્ત જ પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે. દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપ કર્યો હોય તેને આલોચવાં જોઈએ અને મન તથા ઈન્દ્રિયેને દુર્ગુણોથી પાછી હઠાવવી જોઈએ. રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિકમણ છે. સંસાર સન્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિકમણ છે. મોહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થ અગર ત્યાગીઓએ તેમાં લાગેલા અતિચારોને આલોચવા તે પ્રતિકમણ છે. દોષથી પાછા ફરવાને પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીએમાં પ્રતિક્રમણ ગુણ વધે છે.
પાપથી પાછા ફરવારૂપ વિચારોવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દે અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણી અને કાયાના દેને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તરમાં ઉંડા ઉતરી વિચાર કરતાં સમ્યમ્ રીતે બેધાશે. બહેને અને પુરૂષમાંથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ-પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે રૂપે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિકમણને લાભ સમજાય છે. સજજનપણને ઉત્પન્ન કરનાર પ્રતિકમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદ્દગુણ હોતા નથી. પ્રતિ ક્રમણથી સર્વે મનુષ્ય ગુણું થાય છે. વૃતેમાં લાગેલા મેલને પ્રતિક્રમણ રૂપ સાબુથી ધેઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભાનાં કર્મને ક્ષય કરનાર પ્રતિકમણ છે. જ્ઞાનાચાર–દનાચાર-ચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચારે સેવતાં જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ–નિંદા અને ગહરૂપ પ્રતિકમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મયોગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યા હોય અને વિષમભાવ થયો હોય તે ત્યાંથી
For Private And Personal Use Only