SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ જોઈએ અને આત્માની શુદ્ધતાને ઉપગ પ્રગટ જોઈએ. આત્માની નિર્મલતા કરવા માટે પ્રતિકમણ એ ગંગાના સમાન છે. આખી દુનિયાના મનુષ્ય પાપથી પાછા ફરવા રૂપ પ્રતિકમણ કરે તે આ દુનિયા દિવ્ય દુનિયા બની શકે. જે જે દેશે ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિકમણ કરવું જોઈએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મ પ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. ચેરી-વ્યભિચાર-હિંસા-જૂઠ-લભ-બેટીસાક્ષી–ચાચુગલી–વિશ્વાસઘાત-ક્રોધ-કલેશ-ઝઘડા–ટા–વૈર-અહંકાર–કપટ અને નિન્દા વગેરે દોષથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય–સત્ય-નિલૈભતા-વિશ્વાસ–મૈત્રાદિ ભાવના-પ્રમાણિક્તા-સરલતા-ક્ષમા–લઘુતાક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણોમાં આગળ દરરોજ વધા તે અવધવું કે પ્રતિક્રમણ ખરેખરૂં થાય છે. દુર્ગણેથી અર્થાત્ પાપથી પાછા ફરવાને પરિણામ નહોય ત્યાં પ્રતિકમણ નથી. રાત્રિ અને દિવસમાં કયા કયા અનીતિદોષે કરાયા તેની જેઓને યાદી ન હોય અને જે ક્યાંથી પાછા ફરીને કયાં આવવાનું છે તે જાણતા ન હોય તેઓ પ્રતિકમણના અધિકારી થયા નથી એમ અવબોધવું. ગૃહસ્થ અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય તે તેની છાપ જેઓ પ્રતિક્રમણ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિકમણું આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત્ દુર્ગણો-અનીતિઅને અપ્રમાણિકતાથી પાછા ફરનાર મનુષ્ય ખરેખર પ્રતિકમણ શબ્દની અને તેના રહસ્યની છાપ બોલ્યા વિના અન્ય મનુષ્ય પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે દુનિયાના મનુષ્યમાંથી પાપ ટળી જાય. શ્રી સર્વજ્ઞવીરપ્રભુએ પ્રતિકમણને આવશ્યકકાર્ય તરીકે ઉપદેહ્યું છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિકમણુના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્ય સદાચારી ધર્મી બન્યા છે, બને છે અને બનશે. For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy