________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ છે. દરરોજ પ્રતિકમણ આવશ્યક કરવામાં આવે અને દુર્ગણ ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય તે સમજવું કે પાપની ગહ-નિજારૂપ પશ્ચાત્તાપ બરાબર કરી શકાતું નથી.
પ્રતિક્રમણરૂપ અધ્યવસાય થવાથી ભૂતકાલીન કર્મની નિર્જરા થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવો પ્રતિકમણું કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યો હોય તેને અન્તઃકરણમાં ઉંડે પશ્ચાત્તાપ કરવો જોઈએ. મન-વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિકમણ યુગ્ય થવી જોઈએ. પ્રતિકમણના અધ્યવસાયેથી આચારમાં સ ગુણો દેખાવવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણેની વૃદ્ધિ થવી જોઈએ અને અનીતિથી પાછું હઠવાનું થવું જોઈએ. શબ્દોમાં થએલું પ્રતિક્રમણ જે સદગુણે અને શુભાચાર પર અસર ન કરે તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કવાયને ઉપશમ થવું જોઈએ. કષાય ઘટે નહિ અને ઉલટી દરરોજ કષાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ કર્યું એમ કહી શકાય નહિ, અને રંજન કરવા માટે પ્રતિકમણની ક્રિયા નથી પણ પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિકમણ છે. અન્તરમાં ભાવ પ્રતિકમણના ઉપયોગ પ્રતિકમણના વિચારે પ્રકટાવવા જોઈએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિકમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરોત્તરનયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરૂભકત મનુષ્ય પ્રતિકમણ શુદ્ધિ તરફ લક્ષ દેવું જોઈએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિક્રમણ છે અને ઉપગપૂર્વક ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય એ સાતનયથી પ્રતિકમણ કરવું જોઈએ. આત્માથી પ્રતિકમણ ભિન્ન છે કે અભિન્ન છે તેને નવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિકમણની આરાધના કરવી. જે જે શબ્દો વડે પ્રતિક્રમણ કરવું તે તે શબ્દને સાતનવડે સમ્યગ અર્થ વિચાર કરવું જોઈએ. ગાડરીયા પ્રવાહ રીતિએ પ્રતિક્રમણ કરવામાં સુધારો કરીને દરરોજ દુર્ગમાંથી મુક્ત થવાય અને સશુની વૃદ્ધિ થાય એ દરરેજ પ્રયત્ન કરવું જોઈએ. પાપને પશ્ચાત્તાપથી અન્તઃકરણ ઘણું કુમળું થવું
For Private And Personal Use Only