SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ દેનાર ક્ષેત્રૂકની પેઠે મિચ્છામિğડ દેનાર પ્રતિક્રમણ કરી શકતા નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતા નથી તે પ્રતિક્રમણ કરી શકતા નથી. દિવસમાં અને રાત્રિમાં જે જે પાપે! કર્યાં હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપે! નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અબાધવા. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર ખેલી જવું અને પ્રતિક્રમણ એટલે શું ? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદયપર કઇ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઈંગ્લીશ ભાષાના શબ્દોના અર્થ નહિ જાણનાર ઇંગ્લીશ ભાષાની કવિતાઆમાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ બની શકે નહિ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછું ફરવું આવા પ્રતિક્રમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્ય પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણુ કરનારા અવબાધવા. મન-વચન અને કાયાથી જે જે પાપા કરાતાં હોયતેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપેા થયાં હોય તેની માફી માગવી તેને દૈવસિક પ્રતિક્રમણુ કહે છે. રાત્રિમાં મન વચન અને કાયા વડે જે પાપ થયાં હોય તેને પ્રાતઃસંધ્યા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે છે, ગૃહસ્થે પ્રતિક્રમણુસૂત્ર અને સાધુએ શ્રમણ્સૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દેઈ પ્રતિક્રમણ આવશ્યક કરવું જોઈએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન-વચન અને કાયાવડે ચાતુર્માસ સંબંધી પાપાને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગાઁકરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણ કહે છે. વર્ષ સંબંધી થએલા પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દા ગર્તા કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણ કથે છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણુનું સ્વરૂપ વિચારવું, ભાવ પ્રતિક્રમણ એ સાધ્ય છે એવા ઉપયોગ રાખીને પ્રતિકમણુ કરવું. દ્રવ્યપ્રતિક્રમણુ તે બાવપ્રતિક્રમ જીના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy