SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ કેઈ નિક્ષેપના ખંડનતરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થ કરના સ્વરૂપને જાણું તીર્થંકરની હૃદયમાં ઉપાદેય દષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિક્ષેપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યકતા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલે મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરોના દરેક ગુણને વિચાર કરો અને પછી તે ગુણ પિતાનામાં પ્રગટાવવા શ્રી તીર્થંકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવું. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થકરેના ગુણની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણે આવિર્ભાવરૂપ થાય છે. તીર્થંકરની સ્તુતિ કરીને તીર્થકર જેવા ગુણે પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્વાર્થી અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થંકરની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાંસુધી તીર્થકરેને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થંકરની પાસે પદગલિક પદાર્થોની ભીક્ષા માગનાર પિતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે તીર્થકોના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતું નથી. અનેક પ્રકારનાં દુખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂર્તિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમાં સમભાવી બનીને તીર્થકરોનું અવલંબન કરીને પિતાનામાં તીર્થંકરપણું પ્રકટાવવાનું છે. એવીશ તીર્થકરના નામપૂર્વક તેમને ભાવથી વંદીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપગથી સ્થિર થઈ જવું. તીર્થકરેનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મનવિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાને અનુભવરસ પ્રગટે ત્યારે સમજવું કે ચોવીશ તીર્થંકરસ્તુતિની અમૃતકિયા પ્રાપ્ત થઈ. ચતુવિંશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણે પ્રગટાવવાને છે. સમભાવરૂપ સામાયકના શિખરે પહોંચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થકરેએ જગના છાને સમભાવને ઉપદેશ દીધે છે તેથી તેમણે જગત્પર અપરિમિત ઉપકાર કર્યો છે એવા તીર્થકરની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy