________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અને મૃત્યુના અન્યને છૂટે છે. શ્રીતીર્થંકરાએ ગુણની શ્રેણિપર ચઢવાના ઉપદેશ દ્વીધા છે. ગુણથી આગળ વધાય છે. ગમે તે જાતિમાં જન્મેલા મનુષ્ય વૈરાગ્ય, સંતાષ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, નિર્વાભતા અને મૈત્રીભાવ આદિશુાવડે તે આત્માની ઉત્ક્રાન્તિમાં દરરોજ આગળ વધે છે. ક્રોધાદિ ગુણાને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાવ્યું છે. મનુષ્ય, સુર, પશુ, અને પંખી વગેરે જિનભગવાનના ગુણાને ઉપદેશ શ્રવણ કરી દુર્ગુણેાપર જય મેળવી ધર્માં થઇ શકે છે. રાગદ્વેષના જય કરવાની ઇચ્છા-પ્રવૃત્તિ જેને થાય છે તે જિનના અનુયાયી છે. આવા ઉપદેશ તેમણે દઇને અનેક ભન્યજીવાને તાર્યા છે. આદિત્યના કરતાં તેઓ કેવળજ્ઞાનગુણુવડે અનન્તગુણુ પ્રકાશી છે. ચંદ્રમાના કરતાં તે અત્યંત શાન્ત છે. સાગરની પેઠે અત્યંત તે ગંભીર છે. તેમની દિશાતરફ પ્રવૃત્તિ કરીને તેનું ધ્યાન ધરૂં છું. સમાધિના આપનારા તેઓ આલેખનવડે અનેા. શ્રીતીર્થંકરોનું સદા સ્મરણુ ડાવ. તીર્થંકરોની ઉપાસનામાં મન, વચન અને કાયાના વ્યાપાર હોવ! ઉપશમાદિ ભાવે શ્રીતીર્થંકરાનું ધ્યાન કરૂં છું. જેઓએ ઘાતી અને અઘાતી કર્મના ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધેા-તીર્થંકરાનું સદા ધ્યાન કરૂં છું. તેના રૂપાતીત સ્વરૂપમાં લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરૂવંદન આવશ્યક
કરવામાટે અધિકારી બને છે. તીર્થંકરેાના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરૂના ઉપકાર અને તેમની મહત્તા અવષેાષવા સમર્થ થાય છે.
પરમાત્મા તીર્થંકરાની સ્તુતિ કરનાર ગુરૂને વંદન કરવાને અધિકારી અને છે. વિશ્વાસ, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, ગુરૂવઆવશ્યક વિવેક, જ્ઞાન, આજ્ઞાપાલન, પરોપકાર, અને ગંભીરતાદ્વિગુણુંાની પ્રાપ્તિવિના ગુરૂના શિષ્ય બની શકાતું નથી. ગુરૂને ત્રિકાલવંદન કરવું જોઇએ. ગુરૂવન્દન એ આવશ્યકકર્મ છે. ગુરૂભક્તિ, સેવા, ઉપાસના અને આજ્ઞાધીનતાઆદિ ગુણેની પ્રાપ્તિ કરીને પેાતાના આત્માની ઉન્નતિ કરવી જોઇએ. એ વખતની સધ્યાએ ગુરૂવન્દનકર્મને અવશ્ય કરવું જોઈએ. ગુરૂવન્દનસૂત્રથી ગુરૂવન્દન
For Private And Personal Use Only